બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:47 AM, 6 December 2025
Pakistan-Afghanistan Clash: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી ગોળીબાર થયો છે. અફઘાનિસ્તાનના કંદહાર પ્રાંતના સ્પિન બોલ્ડક વિસ્તારમાં અફઘાન અને પાકિસ્તાની સેના વચ્ચે અથડામણ થઈ. બંને સેના સરહદ પારથી એકબીજા પર હુમલા કરી રહ્યું છે, ગ્રેનેડ અને મોર્ટાર ફેંકી રહ્યા છે, જેના કારણે લોકોમાં ગભરાત ફેલાઈ ગયો છે. તેઓ પોતાના ઘર છોડીને જતા રહ્યા છે. જણાવી દઈએ કે આ ફાયરિંગ 2 દિવસ પહેલા થયેલી શાંતિ વાર્તા વિફળ થયા પછી થયું છે.
ADVERTISEMENT
Breaking News
— Mir Yar Baloch (@miryar_baloch) December 5, 2025
6 December 2025
Heavy firing going on between terrorist state of Pakistan and Afghanistan forces on #DurandLine. Pakistani army is hiding inside bunkers and has lost the moral and courage to respond.
Balochistan and Pashtunistan people are fully supporting the… pic.twitter.com/gKYVve9lIK
ADVERTISEMENT
અફઘાન બોર્ડર પોલીસના પ્રવક્તા અબ્દુલ્લા ફારૂકીએ બંને દેશો વચ્ચે અથડામણની પુષ્ટિ કરીને કહ્યું કે ગોળીબારની શરૂઆત પહેલા પાકિસ્તાને કરી. પાકિસ્તાની સેનાએ હુમલો કર્યો, ત્યારે અફઘાની સેનાએ યુદ્ધવિરામ તોડ્યું. ત્યારે પાકિસ્તાનનો દાવો છે કે અફઘાન સેનાએ પહેલા હુમલો કર્યો. ત્યારબાદ બંને તરફથી ગોળીબાર થયો, બંને બાજુથી ગ્રેનેડ, રોકેટ અને શેલ છોડવામાં આવ્યા, જે લોકોના ઘરો પર પડ્યા. અચાનક થયેલા હુમલાથી ડરીને, રહેવાસીઓ પોતાનો સામાન ભેગો કરીને રાતોરાત પોતાના ગામડાઓ છોડીને ભાગી ગયા.
#DurandLine fresh clashes between Pakistan and Afghanistan.
— Mir Yar Baloch (@miryar_baloch) December 5, 2025
Local people vacating their homes and the city and moving by vehicles and foot. pic.twitter.com/vD0E7QHh0c
ADVERTISEMENT
જણાવી દઈએ કે ઓક્ટોબરમાં કંદહાર પ્રાંત નજીક પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ ડ્યુરન્ડ લાઇન પર અથડામણ થઈ હતી. આ રેખા પર સ્થિત શહેર સ્પિન બોલ્ડક બંને દેશો વચ્ચે વેપાર અને મુસાફરીનું કેન્દ્ર છે, પરંતુ ડ્યુરન્ડ લાઇન ઘણા વર્ષોથી વિવાદનો વિષય રહી છે. અફઘાનિસ્તાન ડ્યુરન્ડ લાઇનને સરહદ તરીકે માન્યતા આપતું નથી, પરંતુ પાકિસ્તાન સરકાર તેને સત્તાવાર સરહદ જાહેર કરી ચૂકી છે. તેથી, અફઘાનિસ્તાન ડ્યુરન્ડ લાઇનથી થતી અવરજવરને ગેરકાયદેસર ઘૂસણખોરી માને છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે 8-9 ઓક્ટોબરની રાત્રે, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલો કર્યો હતો, જેમાં ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. પાકિસ્તાને વળતી કાર્યવાહી કરીને અફઘાનિસ્તાનના અનેક શહેરોમાં હવાઈ હુમલા કર્યા અને સરહદી ચોકીઓ કબજો કરી લીધો. તેણે ટીટીપીના વડા નૂર વાલી મહેસુદને પણ માર્યો હોવાનો દાવો કર્યો હતો.
આ પણ વાંચો: VIDEO: રાષ્ટ્રપતિ કે PM મોદી નહીં, પુતિને કારમાંથી ઉતરતાની સાથે જ આ વ્યક્તિ મિલાવ્યો હાથ
ADVERTISEMENT
અફઘાનિસ્તાને સાર્વભૌમત્વ પર હુમલો ગણાવીને પાકિસ્તાન પર હુમલો કર્યો, જેમાં 50થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા. અફઘાન સેનાની ચોકીઓ પણ કબજે કરી લીધી, પરંતુ 16થી 18 ઓક્ટોબર દરમિયાન બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો. 19 ઓક્ટોબરના રોજ યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, પરંતુ આ પછી શાંતિ વાટાઘાટોના ત્રણ તબક્કા નિષ્ફળ થઈ ચૂક્યા છે. 25 નવેમ્બરના રોજ, પાકિસ્તાને પૂર્વી અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો, જે પછી પાકિસ્તાનના પેશાવરમાં TTP દ્વારા આતંકવાદી હુમલો કરવામાં આવ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.