બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / મોરબીમાં ફૂડ વિભાગનું સઘન ચેકિંગ, અખાદ્ય ચટણી, ફૂડ કલર અને ન્યૂઝ પેપરનો જથ્થો નાશ કરાયો
Last Updated: 11:15 PM, 19 June 2026
મોરબી શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણી તથા ફરસાણના એકમો પર વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રવાપર રોડ વિસ્તારમાં આવેલી આશરે 20 ફરસાણની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી.
ADVERTISEMENT

તપાસ દરમિયાન ફરસાણની દુકાનોમાં ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલના નમૂનાઓની TPC (ટોટલ પોલાર કમ્પાઉન્ડ) મશીન દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન 25 TPC કાઉન્ટથી વધુ આવેલા તમામ તેલના નમૂનાઓને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT

ચટણીનો જથ્થો જપ્ત કરી નાશ કર્યો
ADVERTISEMENT
ફૂડ વિભાગની ટીમે વિવિધ એકમોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની પણ તપાસ કરી હતી. આ દરમિયાન લાઈટ નાસ્તા હાઉસમાંથી અંદાજે બે કિલો અખાદ્ય ચટણીનો જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ નેપોપ ચાઈનીસમાંથી પાંચ કિલો અખાદ્ય ચટણી અને ફૂડ કલરનો જથ્થો પણ જપ્ત કરીને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદમાં તમારા વિસ્તારમાં પાણી ભરાય કે ભૂવા પડે તો આ નંબર પર કરી શકાશે ફરિયાદ
ADVERTISEMENT
ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે આવી તપાસો આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. વેપારીઓને ખાદ્ય સુરક્ષા નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.