બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કુંડળીમાં છે માંગલિક દોષ? જાણો તેના કારણે આવતી મુશ્કેલીઓ અને સરળ ઉપાયો

જ્યોતિષ શાસ્ત્ર / કુંડળીમાં છે માંગલિક દોષ? જાણો તેના કારણે આવતી મુશ્કેલીઓ અને સરળ ઉપાયો

Jinal Chauhan

Last Updated: 01:03 PM, 19 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા યોગ અને દોષ જણાવવામાં આવ્યા છે, જે વ્યક્તિના જીવન પર ઊંડી અસર કરે છે. તેમાં માંગલિક દોષને સૌથી વધુ કષ્ટદાયક દોષોમાંથી એક માનવામાં આવે છે.

19 જૂન 2026, શુક્રવારના દિવસે જ્યેષ્ઠ શુક્લ પક્ષની પંચમી તિથિ છે. પંચમી તિથિ સાંજે 4:59 વાગ્યા સુધી રહેશે ત્યારબાદ ષષ્ઠી તિથિનો પ્રારંભ થશે. આજે અશ્લેષા અને મઘા નક્ષત્રનો સંયોગ છે. અશ્લેષા નક્ષત્ર સવારે 10:06 વાગ્યા સુધી રહેશે. હર્ષણ યોગ બપોરે 2:53 વાગ્યા સુધી રહેશે અને ત્યારબાદ વજ્ર યોગ લાગશે. આ દિવસે બવ, બાલવ, કૌલવ અને તૈતિલ કરણ રહેશે. રાહુકાળ સવારે 10:38 વાગ્યાથી બપોરે 12:23 વાગ્યા સુધી રહેશે. આજના જ્યોતિષીય વિશ્લેષણમાં કુંડળીમાં બનતા કષ્ટકારી દોષોમાંથી માંગલિક દોષ વિશે જાણીએ.

શું છે માંગલિક દોષ?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં મંગળ ગ્રહની કેટલીક વિશેષ સ્થિતિઓને કારણે માંગલિક દોષ સર્જાય છે. આ દોષને વૈવાહિક જીવન, પરિવાર અને આર્થિક સ્થિતિ માટે પડકારજનક માનવામાં આવે છે. જોકે દરેક સ્થિતિમાં માંગલિક દોષ લાગુ પડતો નથી. જો મંગળ કર્ક અથવા સિંહ રાશિમાં હોય તો સામાન્ય રીતે માંગલિક દોષ માનવામાં આવતો નથી. ઉપરાંત મંગળ ગ્રહ સૂર્ય સાથે અસ્ત સ્થિતિમાં હોય ત્યારે પણ આ દોષની અસર ઘટી જાય છે. કેટલીક વિશેષ ગ્રહસ્થિતિઓમાં પણ માંગલિક દોષને માન્યતા આપવામાં આવતી નથી.

માંગલિક દોષથી શું અસર થાય છે?

કુંડળીમાં માંગલિક દોષ હોય તો વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને લગ્નમાં વિલંબ, દાંપત્ય જીવનમાં મતભેદ, માનસિક તણાવ અને ધનહાનિ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં પારિવારિક જીવનમાં પણ અશાંતિ જોવા મળે છે.

Manglik karya

માંગલિક દોષ દૂર કરવા માટેના ઉપાયો

જ્યોતિષ શાસ્ત્રમાં માંગલિક દોષની અસર ઘટાડવા માટે કેટલાક ધાર્મિક અને આધ્યાત્મિક ઉપાયો સૂચવવામાં આવ્યા છે.

  • મંગળના વૈદિક મંત્રનો નિયમિત જાપ કરવો.
  • દરરોજ હનુમાન ચાલીસાનું પાઠ કરવું.
  • યોગ્ય માર્ગદર્શન હેઠળ લાલ મૂંગો ધારણ કરવો.
  • ઘરમાં મંગળ યંત્રની સ્થાપના કરવી.
  • વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવવા.
  • માતા દુર્ગાની ઉપાસના કરીને મંગળ ચંડિકા સ્તોત્રનો પાઠ કરવો.
  • પક્ષીઓને નિયમિત દાણા નાખવા.
  • નવગ્રહોની પૂજા અને આરાધના કરવી.
vtv hiring

આ પણ વાંચોઃ રોટલી પીરસવાનો સાચો નિયમ: જમણા હાથથી સેવા કેમ માનવામાં આવે છે શુભ?

જ્યોતિષ માન્યતાઓ અનુસાર આ ઉપાયો કરવાથી માંગલિક દોષની નકારાત્મક અસર ઓછી થઈ શકે છે અને જીવનમાં સુખ-શાંતિ તથા પ્રગતિના માર્ગ ખુલ્લા થઈ શકે છે.

DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mangalik Dosh horoscope defects Mars Dosha remedies
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ