બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સરકારી નોકરીવાળા માટે મોટી ખબર, ડેથ બેનિફિટ અને ગ્રેજ્યુઇટી પર આવ્યુ મોટું અપડેટ
Last Updated: 01:18 PM, 17 June 2026
સરકારી કર્મચારીઓ પાંચ વર્ષનો ફરજિયાત સેવા સમયગાળો પૂર્ણ કર્યા પછી રિટાયરમેન્ટ પર ગ્રેચ્યુઇટીનો ફાયદો આપવામાં આવે છે. જો કોઈ સરકારી કર્મચારીનું સેવા દરમિયાન અવસાન થાય છે, તો તેમના પરિવારને નિર્ધારિત દરે ગ્રેચ્યુઇટી મળવાનો અધિકાર છે. 8મા પગાર પંચની ભલામણોના અમલીકરણ પહેલા, વિવિધ કર્મચારી અને પેન્શનર સંગઠનોએ ગ્રેચ્યુઇટી નિયમોમાં નોંધપાત્ર ફેરફારોની માંગ કરી છે. એક મિન્ટ રિપોર્ટ સૂચવે છે કે, આ બદલાવોમાં ગ્રેચ્યુઇટીની લીમિટ વધારવી, ગણતરી પદ્ધતિમાં સુધારો કરવો અને કર્મચારીના મૃત્યુના કિસ્સામાં થવા પર મળવાનો ફાયદો સામેલ છે.
ADVERTISEMENT
ગ્રેચ્યુઇટીમાં હાજર નિયમ શું છે?
સરકારી કર્મચારીઓ પાંચ વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી રિટાયરમેન્ટ થવા પર ગ્રેચ્યુઇટી લાભ મેળવવા માટે હકદાર છે. જો કોઈ સરકારી કર્મચારી સેવા દરમિયાન મૃત્યુ પામે છે, તો તેમના પરિવારને સરકારી નિયમો અનુસાર ગ્રેચ્યુઇટી ચુકવણી મળે છે. આવો આપણે વર્તમાન નિયમો અને ગણતરીની પદ્ધતિ સમજીએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
કર્મચારી સંગઠનોને શું પ્રસ્તાવ આપવામાં આવ્યા છે?
સૌથી પહેલા ઇન્ડિયન રેલ્વે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન (IRSTA) દ્વારા કરવામાં આવેલા પ્રસ્તાવ પર નજર કરીએ:
ADVERTISEMENT
ભારતીય રેલ્વે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશને પોતાના મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે, "રિટાયરમેન્ટ ગ્રેચ્યુઇટીની ગણતરી દર છ મહિનાના સમયગાળાના આધારે માસિક પગારના ત્રીજા ભાગ અને રિટાયરમેન્ટની તારીખે મેળવેલા મોંઘવારી ભથ્થાના દરે થવી જોઈએ. 33 વર્ષ કે તેથી વધુ સમયની જરૂરી સેવા માટે, ચૂકવવાપાત્ર રિટાયરમેન્ટ ગ્રેચ્યુઇટી માસિક પગાર અને મોંઘવારી ભથ્થાના 32 ગણી હોવી જોઈએ. આ માટેની મહત્તમ મર્યાદા 50 લાખ રુપિયા હોવી જોઈએ."
ADVERTISEMENT
રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશને ડેથ ગ્રેચ્યુઇટી અંગે કયો પ્રસ્તાવ રજૂ કર્યો છે?
રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશને જણાવ્યું હતું કે ડેથ ગ્રેચ્યુઇટીની રકમ, જે હાલમાં 50 લાખ રુપિયા સુધી મર્યાદિત છે, તે કર્મચારીના કુલ લાયકાત ધરાવતા સેવા સમયગાળા પર આધારિત હોવી જોઈએ, જે નીચે મુજબ છે:
ADVERTISEMENT

રેલ્વે સિનિયર સિટીઝન્સ વેલફેર સમિતિ(RSCWS) દ્વારા ગ્રેચ્યુઇટી પ્રસ્તાવ
આ પણ વાંચોઃ GSSSB દ્વારા કુલ 377 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો અરજી કરવાની રીત તથા છેલ્લી તારીખ
ગ્રેચ્યુઇટીની ટોચમર્યાદા વધારીને 75 લાખ રુપિયા કરવાની માંગ
બીજી કર્મચારી સંસ્થા NC-JCM (નેશનલ કાઉન્સિલ-જોઇન્ટ કન્સલ્ટેટિવ મશીનરી) એ તેની મુખ્ય માંગણીઓમાં મહત્તમ ગ્રેચ્યુઇટી મર્યાદા વધારીને 75 લાખ રુપિયા કરવાની અને ગણતરી 30 દિવસને બદલે દર મહિને 25 કાર્યકારી દિવસો પર આધારિત કરવાની માંગનો સમાવેશ કર્યો છે. NC-JCM એ એવી સંસ્થા છે જે 8મા પગાર પંચ સમક્ષ કેન્દ્ર સરકારના કર્મચારીઓની માંગણીઓ રજૂ કરે છે.
NC-JCM (સ્ટાફ સાઇડ) પગારના 16.5 ગણા પગારની હાલની મર્યાદાને દૂર કરવાની પણ માંગ કરે છે. આ મર્યાદા 33 વર્ષથી વધુ સમયથી સેવા આપતા કર્મચારીઓ માટે ગ્રેચ્યુઇટીમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.