બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / કેરીની છાલ ફેંકતા પહેલાં વાંચી લો, છોડ માટે બની શકે છે કુદરતી ખાતર
Last Updated: 02:57 PM, 19 June 2026
કેરીની છાલમાં પોટેશિયમ સહિતના ઘણા પોષક તત્વો હોય છે, જે જમીનની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે. જો તમે બગીચો કે કુંડામાં છોડ ઉછેરતા હોવ તો કેરીના છાલમાંથી સરળતાથી કુદરતી ખાતર બનાવી શકો છો. આ ખાતર છોડની વૃદ્ધિ વધારવામાં મદદ કરે છે અને રસાયણિક ખાતરની જરૂરિયાત પણ ઓછી કરે છે. જોકે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે, કારણ કે ખોટી રીતથી બનાવેલું ખાતર છોડને નુકસાન પણ પહોંચાડી શકે છે.
ADVERTISEMENT
કેરીની છાલમાં પોટેશિયમ અને અન્ય જરૂરી પોષક તત્વો હોય છે, જે છોડના મૂળને મજબૂત બનાવે છે. તે જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરે છે અને છોડને વધુ લીલાછમ અને સ્વસ્થ રાખે છે. નિયમિત ઉપયોગથી ફૂલ અને ફળ આપતા છોડની વૃદ્ધિમાં પણ સુધારો જોવા મળી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સ્ટેપ 1
સૌપ્રથમ કેરીની છાલને સારી રીતે ધોઈ લો, જેથી તેના પર રહેલી ધૂળ કે ગંદકી દૂર થઈ જાય.
ADVERTISEMENT
સ્ટેપ 2
હવે એક બાલ્ટી અથવા મોટા વાસણમાં પાણી ભરો અને તેમાં કેરીના છાલ નાખી દો.
ADVERTISEMENT
સ્ટેપ 3
વાસણને ઢાંકીને ગરમ જગ્યાએ 2 થી 3 દિવસ માટે રાખો.
ADVERTISEMENT
સ્ટેપ 4
બે-ત્રણ દિવસ પછી આ મિશ્રણને હલાવો અને ફરી 2 દિવસ માટે ઢાંકીને રાખો.
સ્ટેપ 5
ત્યારબાદ મિશ્રણને ગાળી લો. ગાળેલું પાણી અલગ રાખો. હવે તમારું કુદરતી લિક્વિડ ફર્ટિલાઇઝર તૈયાર છે.
તૈયાર થયેલા લિક્વિડ ફર્ટિલાઇઝરમાં થોડું સાદું પાણી ભેળવીને તેનો ઉપયોગ કરો. આ મિશ્રણને સીધું જ છોડની આસપાસની માટીમાં રેડી શકાય છે.

આ પણ વાંચોઃ શું તમે કાટ ખાઈ ગયેલા ચપ્પુથી શાકભાજી કાપીને શાક બનાવો છો? થશે આ મોટું નુકસાન
ખાસ કરીને મોસમી ફૂલવાળા છોડ અને ઘરઆંગણાના છોડ માટે આ ખાતર ઉપયોગી બની શકે છે. શરૂઆતમાં એક જ છોડ પર તેનો ઉપયોગ કરીને પરિણામ જુઓ. લગભગ 20 દિવસ સુધી છોડની વૃદ્ધિ પર નજર રાખો. જો સારો ફેરફાર જોવા મળે તો પછી અન્ય છોડમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.
કેરીની છાલનો આ રીતે ઉપયોગ કરીને તમે ઘરેલું કચરો ઓછો કરી શકો છો અને તમારા છોડને કુદરતી પોષણ પણ આપી શકો છો. આ એક સરળ, સસ્તી અને પર્યાવરણને અનુકૂળ રીત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.