બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદમાં વીજ લાઇન વિવાદ, હાઇકોર્ટે કલેક્ટરનો હુકમ રદ કર્યો, ખેડૂતોને સાંભળ્યા બાદ જ લેવાશે અંતિમ નિર્ણય

ગુજરાત / અમદાવાદમાં વીજ લાઇન વિવાદ, હાઇકોર્ટે કલેક્ટરનો હુકમ રદ કર્યો, ખેડૂતોને સાંભળ્યા બાદ જ લેવાશે અંતિમ નિર્ણય

Nidhi Panchal

Last Updated: 09:23 AM, 17 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોલેરા સર વિસ્તારમાં વીજ લાઇનના કારણે ખેતર અને પાકને નુકસાન થતું હોવાની રજૂઆત બાદ ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે અમદાવાદ કલેક્ટરના હુકમને રદ કરીને તમામ ખેડૂતોને સાંભળ્યા બાદ જ અંતિમ નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.

અમદાવાદના ધોલેરા સર વિસ્તારમાં વીજ લાઇન નાખવાના મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. વીજ લાઇનના કારણે ખેતર અને પાકને નુકસાન થઈ રહ્યું હોવાની રજૂઆત સાથે કરવામાં આવેલી રિટ પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અમદાવાદ કલેક્ટર દ્વારા આપવામાં આવેલા હુકમને રદ કર્યો છે.

gujarat-highcourt-10 (2)_1_0_0

વીજ લાઇન નાખવાનો આદેશ આપવામાં આવ્યો

મામલાની વિગતો મુજબ, કમિયાણા ગામના ખેડૂતોની રજૂઆત હતી કે તેમને યોગ્ય રીતે સાંભળ્યા વગર જ તેમના વિસ્તારમાં વીજ લાઇન નાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ હતો કે વીજ લાઇનના કામના કારણે તેમના ખેતર અને ઉભા પાકને નુકસાન થઈ શકે છે. તેમ છતાં તેમની રજૂઆતને પૂરતું મહત્વ આપવામાં આવ્યું નહોતું અને કંપનીઓને વીજ લાઇન નાખવાની મંજૂરી આપી દેવામાં આવી હતી.

ખેડૂતોને પોતાની વાત રજૂ કરવાની તક

આ નિર્ણય સામે ખેડૂતો દ્વારા હાઇકોર્ટમાં પડકાર કરવામાં આવ્યો હતો. અરજીમાં જણાવાયું હતું કે ખેડૂતોના હિતોને ધ્યાનમાં લીધા વગર અને તેમની વાત સાંભળ્યા વગર કંપનીઓને વીજ લાઇનના કામ માટે મંજૂરી આપવામાં આવી છે, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ છે. મામલાની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નોંધ્યું કે અસરગ્રસ્ત ખેડૂતોને પોતાની વાત રજૂ કરવાની તક આપવી જરૂરી છે. આથી કોર્ટે અમદાવાદ કલેક્ટરના અગાઉના હુકમને રદ કરીને તમામ સંબંધિત ખેડૂતોને સાંભળવાનો આદેશ કર્યો છે.

વાંધાઓ પર યોગ્ય રીતે વિચાર કરવામાં આવે

હાઇકોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે કમિયાણા સહિતના અસરગ્રસ્ત તમામ ખેડૂતોને 19 જૂન સુધીમાં સાંભળવામાં આવે અને તેમની રજૂઆતો તથા વાંધાઓ પર યોગ્ય રીતે વિચાર કરવામાં આવે. ત્યારબાદ સમગ્ર મામલે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને 23 જૂન સુધીમાં અંતિમ નિર્ણય લેવામાં આવે.

આ પણ વાંચો : વડોદરા હાલોલ રોડ પર ભયાનક અકસ્માત, ઊભેલી ટ્રક પાછળ લકઝરી બસ ઘૂસી જતા અંદાજે 5 લોકોના મોત

ધોલેરા સર વિસ્તારમાં વીજ લાઇન પ્રોજેક્ટને લઈને ખેડૂતો અને તંત્ર વચ્ચે ચાલી રહેલા આ વિવાદમાં હાઇકોર્ટના આ આદેશને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હવે ખેડૂતોની રજૂઆત સાંભળ્યા બાદ જ આગામી કાર્યવાહી અને અંતિમ નિર્ણય લેવામાં આવશે. કોર્ટે ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને પારદર્શક અને ન્યાયસંગત પ્રક્રિયા અનુસરવા પર ભાર મૂક્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

High Court Ahmedabad Power Line
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ