બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ટ્રમ્પે બદલ્યા અમેરિકાના વિઝા નિયમ તો કેવી રીતે મળશે છૂટ? દરેક સવાલના જવાબ એક ક્લિકમાં
Last Updated: 09:04 PM, 21 September 2025
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને H-1B વીઝા અંગે નવા નિયમો જાહેર કર્યા છે. હવે આ વીઝા માટે અરજી કરતી વખતે કંપનીઓએ એક વખત માટે 1 લાખ ડૉલર ફી જમા કરાવવી પડશે. આ નિયમ 21 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે આ વધારાની ફી માત્ર નવા અરજદારો પર લાગુ પડશે, હાલના વીઝા ધારકો અથવા નવિનીકરણ કરાવનારા પર તેનો કોઈ અસર નહીં થાય.
ADVERTISEMENT

ADVERTISEMENT
વ્હાઈટ હાઉસ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ રકમ દર વર્ષે નહીં પણ માત્ર એક વખત જ ચૂકવવાની રહેશે. એટલે કે, હાલ જે લોકો H-1B વીઝા પર અમેરિકામાં છે, તેઓને કે તેમના નવિનીકરણ પર વધારાનો ખર્ચ નહીં કરવો પડે. તેમ જ જે લોકો અમેરિકા છોડીને ફરી પાછા આવવા માંગે છે, તેમના પ્રવાસ અધિકારમાં પણ કોઈ ફેરફાર નહીં થાય.

ADVERTISEMENT
નવી ગાઈડલાઈન મુજબ જો કોઈ વિદેશી નિષ્ણાતની નિમણૂક અમેરિકાના રાષ્ટ્રીય હિત માટે અગત્યની હોય અને દેશની સુરક્ષા કે જનહિત પર તેનો નકારાત્મક પ્રભાવ ન પડે, તો ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી છૂટ આપી શકે છે. સાથે જ હવે કંપનીઓએ દર અરજી પહેલા સાબિત કરવું પડશે કે તેઓએ 1 લાખ ડૉલરની ફી ભરેલી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
USCIS (યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ)એ સ્પષ્ટ કર્યું છે કે 21 સપ્ટેમ્બર પહેલા કરવામાં આવેલી અરજીઓ પર કોઈ અસર નહીં થાય. હાલના વીઝા ધારકો પોતાના જૂના નિયમો મુજબ જ અમેરિકા આવી-જઈ શકે છે.
ADVERTISEMENT
આ નિયમ હાલ 12 મહિનાની મુદત માટે લાગુ કરવામાં આવ્યો છે, ત્યારબાદ તે વધારવાનો નિર્ણય રાષ્ટ્રપતિ કરશે.
H-1B વીઝા એક non-immigrant પ્રોગ્રામ છે, જેમાં અમેરિકન કંપનીઓ વિદેશી નિષ્ણાતોને નોકરી પર લઈ શકે છે. આ મુખ્યત્વે IT, એન્જિનિયરિંગ, મેડિકલ અને સાયન્સ ક્ષેત્રમાં લાગુ પડે છે. સામાન્ય રીતે 3 વર્ષ માટે મળે છે અને મહત્તમ 6 વર્ષ સુધી લંબાવી શકાય છે.
હવે દરેક નવા H-1B વીઝા એપ્લિકેશન પર એક વખતનો $1 લાખનો ફી ભરવો પડશે.
ના. હાલના વીઝા ધારકો કે તેમના રીન્યુઅલ પર આ નિયમ લાગુ નહીં થાય.
ના. માત્ર એક વખત જ ભરવાની રહેશે.
હા. તેમના પ્રવાસ અધિકારોમાં કોઈ બદલાવ થયો નથી.
જ્યાં નિમણૂક અમેરિકાના રાષ્ટ્રીય હિતમાં ગણાશે ત્યાં છૂટ મળી શકે છે.
સ્ટેટ ડિપાર્ટમેન્ટ સુનિશ્ચિત કરશે કે ફી ભરવામાં આવી છે કે નહીં.
વધુ કુશળતા અને ઊંચા વેતન ધરાવતા ઉમેદવારોને.
આ પણ વાંચોઃ 'હું બ્રાહ્મણ છું અને...', નીતિન ગડકરીનું નિવેદન કેમ વાયરલ થયું?
અરજી ફગાવી દેવામાં આવશે અને પ્રવેશ નહીં મળે.
હાલ માટે 12 મહિના સુધી. ત્યાર બાદ રાષ્ટ્રપતિના નિર્ણય અનુસાર લંબાવવામાં આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.