બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'હું બ્રાહ્મણ છું અને...', નીતિન ગડકરીનું નિવેદન કેમ વાયરલ થયું?

મહારાષ્ટ્ર / 'હું બ્રાહ્મણ છું અને...', નીતિન ગડકરીનું નિવેદન કેમ વાયરલ થયું?

Priykant Shrimali

Last Updated: 01:00 PM, 21 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nitin Gadkari : ગડકરી પોતે અનેક વખત જાતિવાદના વિરોધમાં વાત કરી ચૂક્યા છે. તેમને માનીતા છે કે, વ્યક્તિનું મૂલ્ય તેની જાતિ કે ધર્મથી નહીં, પણ ગુણોથી થતુ હોય છે. પરંતુ તેમનું તાજેતરનું નિવેદન...

Nitin Gadkari : દેશના કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી ફરી એકવાર તેમના નિવેદનને લઈને ચર્ચામાં આવી ગયા છે. વાસ્તવમાં નાગપુરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમણે બ્રાહ્મણ સમુદાય વિશે કર્યું નિવેદન હવે સોશિયલ મીડિયા પર ભારે ટ્રેન્ડિંગમાં છે. પોતાના ખુલાસાઓ અને નિર્ભીક અભિગમ માટે જાણીતા ગડકરીએ કહ્યું કે, મજાકમાં હું હંમેશા કહું છું કે, જો ભગવાને મારા પર કોઈ સૌથી મોટો ઉપકાર કર્યો હોય, તો એ છે કે તેઓએ અમને અનામત ન આપી. તેના પછીના શબ્દો પણ એટલા જ નોંધપાત્ર હતાં. કારણ કે અનામત મળત, તો અમે પણ મગજ વાપરવાનું બંધ કરી દેત! આ નિવેદનથી સંવેદનશીલ મુદ્દાઓ જેવી કે અનામત વ્યવસ્થા, જાતિવાદ, અને સામાજિક સમાનતાની ચર્ચા ફરીથી તીવ્ર બની ગઈ છે.

જાતિવાદ અને અનામત : જૂની વિવાદાસ્પદ ચર્ચાઓનું નવું રૂપ

ગડકરી પોતે અનેક વખત જાતિવાદના વિરોધમાં વાત કરી ચૂક્યા છે. તેમને માનીતા છે કે, વ્યક્તિનું મૂલ્ય તેની જાતિ કે ધર્મથી નહીં, પણ ગુણોથી થતુ હોય છે. પરંતુ તેમનું તાજેતરનું નિવેદન જયારે તેઓ બ્રાહ્મણ તરીકે પોતાને રજૂ કરે છે અને અનામત ન મળવાને “ઉપકાર” તરીકે જુએ છે, ત્યારે ઘણી આંખો ઉઘડી ગઈ છે. આ તરફ હવે ટિકાકાર કહે છે કે બ્રાહ્મણો ઐતિહાસિક રીતે શિક્ષિત અને સામાજિક રીતે પાવરફુલ રહ્યા છે, તેથી તેમને અનામત ન મળવી એ સમાનતાની પદ્ધતિનો ભાગ છે, ન કે અન્યાય. આ ઉપરાંત ઘણા લોકો એ વાત તરફ ઇશારો કરે છે કે, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં બ્રાહ્મણો સરકારી નોકરીઓ અને શિક્ષણમાં મોટી હદ સુધી સ્થાન ધરાવે છે.

EWS અનામત એક સંતુલિત દૃષ્ટિકોણ?

જેમ ગડકરીએ દર્શાવ્યું કે, બ્રાહ્મણોને અનામત મળતી નથી, તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર સરકારે "આર્થિક રીતે નબળા વર્ગો (EWS)" માટે અનામત લાગુ કરી છે જેમાં બ્રાહ્મણો સહિત અન્ય સામાન્ય વર્ગના ગરીબો સામેલ છે. સમર્થકો આ પગલાને સંતુલિત ગણાવે છે કારણ કે આ અનામત કેવળ જાતિ પર નહિ, પરંતુ આર્થિક આધાર પર છે.

આ પણ વાંચો : ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ભાજપની સહયોગી સહિત 474 પાર્ટીના રજીસ્ટ્રેશન કર્યા રદ

હવે જાણૉ મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતના બ્રાહ્મણો વચ્ચે તફાવત

ગડકરીએ આ પ્રસંગે મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતીય રાજ્યોના બ્રાહ્મણોની સ્થિતિની સરખામણી પણ કરી. ઉત્તર પ્રદેશ અને બિહારમાં દુબે, મિશ્રા, ત્રિપાઠી જેવા અટક ધરાવનાર બ્રાહ્મણો હજુ પણ રાજકીય રીતે શક્તિશાળી છે. જ્યારે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયે પ્રભાવ જમાવ્યો છે. તેમ છતાં તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્રના બ્રાહ્મણો હજુ પણ શૈક્ષણિક અને બુદ્ધિજીવી ક્ષેત્રોમાં પ્રભાવશાળી છે. ગડકરીનું નિવેદન માત્ર વ્યક્તિગત મંતવ્ય છે કે પછી એની પાછળ કોઈ ઊંડો રાજકીય સંદેશ છે? કેટલીક તરફ, તેમના નિવેદનને બહાદુર અભિગમ માનવામાં આવે છે-જ્યાં એક નેતા સ્પષ્ટ શબ્દોમાં પોતાનું માન્ય વ્યક્ત કરે છે. પરંતુ બીજી તરફ, ટીકાકાર કહે છે કે આવા શબ્દોથી એ સામાજિક સમાનતા માટે ચાલતી લડતને નુકસાન પહોંચાડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Nitin Gadkari Brahmin
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ