બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ભાજપની સહયોગી સહિત 474 પાર્ટીના રજીસ્ટ્રેશન કર્યા રદ
Last Updated: 12:13 PM, 21 September 2025
Election Commission : આપણાં દેશની ચુંટણી પ્રણાલીને વધુ પારદર્શક અને પ્રભાવી બનાવવા માટે ચુંટણી પંચે નિષ્ક્રિય રાજકીય પક્ષો સામે કડક પગલાં લેવા શરૂ કર્યા છે. આ અભિયાન અંતર્ગત ખાસ કરીને તમિલનાડુમાં મોટા પાયે રાજકીય પક્ષોની નોંધણી રદ કરવામાં આવી છે. આખા દેશમાં છેલ્લા છ વર્ષથી કોઈપણ પ્રકારની ચૂંટણી ન લડનારા 474 જેટલા પક્ષોને અયોગ્ય ગણાવીને ચુંટણી પંચે પોતાની યાદીમાંથી હટાવી દીધા છે. આમાંથી 42 પક્ષો તમિલનાડુના છે, જેમાં કેટલાક રાજ્યની સત્તાધારી પાર્ટી DMK અને NDA સહયોગીઓના સહયોગી પક્ષો પણ સામેલ છે.
ADVERTISEMENT
તમિલનાડુના 42 પક્ષો પર કાર્યવાહી
વિગતો મુજબ તમિલનાડુમાં 42 રાજકીય પક્ષોને રદ કરવાનું કારણ તેમનું છ વર્ષથી ચૂંટણી ન લડવું છે. ઉપરાંત વધુ 39 પક્ષો એવા છે જેમણે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોના ઓડિટેડ ખાતાઓ (2021-22, 2022-23 અને 2023-24) સબમિટ કર્યા નથી. આ પક્ષોએ ચૂંટણી લડી હતી પણ વિધાનસભા અથવા લોકસભા ચૂંટણી ખર્ચના અહેવાલો પેશ કર્યા વગર ચૂપચાપ રહી ગયા. ચૂંટણી પંચે આ નિર્ણય દ્વારા એક સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે માત્ર નામ માટે પક્ષો બનાવીને લાભ લેતા રાજકીય સંગઠનો સામે હવે કોઈ છૂટછાટ નહીં અપાય.
ADVERTISEMENT
મોટાં નામો પણ યામાંથી બહાર
ચૂંટણી પંચે જે તમિલનાડુના પક્ષોની નોંધણી રદ કરી છે, તેમાં નીચેના ચર્ચાસ્પદ નામોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અન્ય પાર્ટીઓ પણ લપેટમાં
સૂત્રો અનુસાર મણિથનેયા જનનયાગા કાચી (MJK)-થમીમુન અન્સારીના નેતૃત્વ હેઠળ, 2016 અને 2021માં AIADMK ટિકિટ પર ચૂંટણી લડી હતી. પેરુન્થલાઈવર મક્કલ કાચી- પેરામ્બુર બેઠક પરથી ચૂંટણી લડનારા એન.આર. ધનપાલનના નેતૃત્વ હેઠળ. આ બધા પક્ષોએ બીજાં પક્ષોના પ્રતીક હેઠળ ચૂંટણી લડી હતી અને પોતાની જાતે ચુંટણી નહીં લડી હોવાના કારણે પણ નોંધણી રદ થઈ છે.
ADVERTISEMENT
Cleaning up of the Electoral System Continues
— Election Commission of India (@ECISVEEP) September 19, 2025
✅ ECI delists another 474 RUPPs
✅ Starts proceedings to delist 359 more RUPPs
Read more : https://t.co/qy1yyMZf6p pic.twitter.com/T6J4drJVI7
સૌથી મોટું સફાઈ અભિયાન
ADVERTISEMENT
આ પગલાં માત્ર તમિલનાડુ સુધી સીમિત નથી. છેલ્લા બે મહિનાની અંદર, દેશમાં કુલ 808 રાજકીય પક્ષોને નોંધણીમાંથી દૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત 359 અન્ય RUPPs (Registered Unrecognised Political Parties) સામે પણ તપાસ ચાલુ છે. જો આ પક્ષો જરૂરી દસ્તાવેજો ન આપે તો ટૂંક સમયમાં તેમની પણ નોંધણી રદ થશે. આ કારણે દેશભરમાં નોંધણી રદ થયેલા પક્ષોની સંખ્યા 833 સુધી પહોંચી શકે છે.
અહીં જુઓ સંપૂર્ણ લિસ્ટ : EC Cleaning up of the Electoral System Continues
RUPPsને શું લાભ મળતો?
પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 29A હેઠળ નોંધાયેલા રાજકીય પક્ષોને ચૂંટણી પ્રતીકો, કર મુક્તિ અને અન્ય કેટલીક સહુલિયતો મળે છે. જો પણ આ પક્ષો સતત છ વર્ષ સુધી કોઈ ચૂંટણી લડતા નથી અથવા નિયમ મુજબ જરૂરી માહિતી આપતા નથી, તો તેમનું નોંધાયેલું સ્થાન રદ કરવામાં આવે છે.
આ પણ વાંચો : PM મોદી આજે સાંજના 5 વાગ્યે દેશને કરશે સંબોધિત, ડબલ ગિફ્ટને લઈને કરી શકે મોટું એલાન
શું કહેવું છે ચુંટણી પંચનું ?
ચુંટણી પંચનું કહેવું છે કે, આ પગલાંઓ દેશની લોકશાહી પ્રણાલીને મજબૂત બનાવવા માટે જરૂરી છે. જો પક્ષો માત્ર કાગળ પર છે અને કોઈ રાજકીય પ્રવૃત્તિ નથી કરી રહ્યા તો એવા પક્ષો પર કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે. આ અભિયાન દ્વારા ચૂંટણી પદ્ધતિમાં પારદર્શકતા વધશે, દુરુપયોગ અટકશે અને જાહેર જીવનમાં જવાબદારી લવાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.