બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:48 PM, 8 April 2026
India Advisaory: ઈરાન અને આસપાસના વિસ્તારોમાં ઝડપથી બદલાતી સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે 8 એપ્રિલે નવી અને અગત્યની એડવાઈઝરી જાહેર કરી છે. આ પહેલાં 7 એપ્રિલ 2026ના રોજ આપવામાં આવેલી સૂચનાઓનો પણ આજના પરિપત્રમાં પુનઃઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે પરિસ્થિતિની ગંભીરતાને દર્શાવે છે.
ADVERTISEMENT
ભારતીય દૂતાવાસે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે હાલમાં ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોએ શક્ય તેટલી વહેલી તકે દેશ છોડવાની તૈયારી કરવી જોઈએ. દૂતાવાસે નાગરિકોને સલાહ આપી છે કે તેઓ સતત એમ્બેસી સાથે સંપર્કમાં રહે અને ફક્ત દૂતાવાસ દ્વારા સૂચવાયેલા સુરક્ષિત માર્ગોનો જ ઉપયોગ કરે. અસ્થિર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું નાગરિકોની સલામતી માટે અત્યંત જરૂરી ગણાવવામાં આવ્યું છે. દૂતાવાસે આ પણ જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની અવ્યવસ્થિત મુસાફરી અથવા સ્વતંત્ર નિર્ણય લેવો જોખમી સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
⚠️ Advisory as on 08 April 2026. pic.twitter.com/pusFQIAKKI
— India in Iran (@India_in_Iran) April 8, 2026
ADVERTISEMENT
એડવાઈઝરીમાં ખાસ કરીને ચેતવણી આપવામાં આવી છે કે કોઈપણ ભારતીય નાગરિકે એમ્બેસીની પૂર્વ મંજૂરી કે સંકલન વિના આંતરરાષ્ટ્રીય જમીની સરહદો ઓળંગવાનો પ્રયાસ કરવો નહીં. સુરક્ષા કારણોસર તમામ ગતિવિધિઓ દૂતાવાસના માર્ગદર્શન હેઠળ જ થવી જોઈએ. આ સાથે જ, આપત્તિના સમયમાં સહાય મેળવવા માટે દૂતાવાસે ઈમરજન્સી સંપર્ક વિગતો પણ જાહેર કરી છે. જાહેર કરાયેલા મોબાઈલ નંબરો છે: +98 912 810 9115, +98 912 810 9102, +98 912 810 9109, +98 993 217 9359. તેમજ ઈમેલ દ્વારા સંપર્ક કરવા માટે [email protected] આઈડી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દૂતાવાસે નાગરિકોને કોઈપણ મુશ્કેલી સમયે તરત જ સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.
ADVERTISEMENT

ભારતીયોને ઈરાન છોડવાની સલાહ, સરહદ પાર ન કરવાની ચેતવણી અને ઈમરજન્સી હેલ્પલાઈન દ્વારા સુરક્ષિત સ્થળાંતર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.