બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:09 PM, 10 July 2025
ઇઝરાયલની જેમ હવે રશિયાને પણ કામદારોની ભારી અછતનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિના નિરાકરણ માટે રશિયાએ ભારત સાથે મોટો શ્રમ કરાર કર્યો છે. રશિયાના વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગના અધિકારી આન્દ્રે બેસેડિને જણાવ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં ભારતમાંથી લગભગ 10 લાખ નિષ્ણાત કામદારો રશિયામાં ભરતી થવાના છે.
ADVERTISEMENT

આ કામદારો રશિયાનાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરશે, જેમાં ખાસ કરીને એન્જિનિયરિંગ અને ધાતુઓ (મેટલ્સ) સાથે જોડાયેલી કંપનીઓમાં સૌથી વધુ જરૂરિયાત છે. રશિયામાં હાલ યુદ્ધના કારણે ઘણા સ્થાનિક યુવાનો ફેક્ટરીઓમાં કામ કરવા તૈયાર નથી અને ઘણાં યુદ્ધ માટે યુક્રેનમાં ગયા છે. જેના કારણે આ સંકટ ઊભું થયું છે.
ADVERTISEMENT
આ નવી યોજના હેઠળ ભારત અને રશિયા વચ્ચે સહમતિથી કરાર કરવામાં આવ્યો છે. વધુમાં, ભારતીય કામદારોના સંચાલન માટે રશિયાનું યેકાટેરિનબર્ગ શહેર ખાતે એક નવું ભારતીય વાણિજ્ય દૂતાવાસ શરૂ કરાશે, જેના દ્વારા આખા પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
એક અહેવાલ મુજબ, સ્વેર્ડલોવસ્ક ક્ષેત્રમાં કામદારોની સૌથી વધુ જરૂરિયાત છે. રશિયન મીડિયાના જણાવ્યા અનુસાર, રશિયા ભારત ઉપરાંત શ્રીલંકા અને ઉત્તર કોરિયા જેવા દેશોમાંથી પણ કામદારો બોલાવવા પ્રયાસ કરી રહ્યા છે. રશિયન અધિકારીઓએ ઉત્તર કોરિયાના કામદારોને "સારા કામદારો" ગણાવ્યા છે.

ADVERTISEMENT
તમને જમાવી દઈએ કે ભારતીય કામદારો પહેલેથી જ કેટલાક રશિયન ક્ષેત્રોમાં કાર્યરત છે. માર્ચ મહિનામાં મોસ્કો સ્થિત સમોલ્યોટ ગ્રુપે બાંધકામ ક્ષેત્રે ભારતીય કામદારો સાથે પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કર્યો હતો. અગાઉ સુધી રશિયા માત્ર ભૂતપૂર્વ સોવિયત દેશોના કામદારોને નોકરી આપે છે જેમને સ્થાનિક ભાષા અને સંસ્કૃતિ વિશે જાણકારી હોય. પરંતુ હવે ભારતીય અને શ્રીલંકન કર્મચારીઓ સાથે કામ કરવાનો અનુભવ મેળવવામાં આવે છે.
ADVERTISEMENT
છેલ્લે, રશિયાની કંપનીઓ માને છે કે ભારતીય કામદારો ઓછા પગાર અને મહેનત સાથે કામ કરવા તૈયાર હોય છે, જોકે ભાષા અને સંસ્કૃતિક અવરોધો જેવા કેટલાક પડકારો પણ હોઈ શકે છે. તેમ છતાં, રશિયા આશાવાદી છે કે ભવિષ્યમાં બંને દેશો માટે આ સહયોગ લાભદાયક સાબિત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.