મોટાભાગના ગુજરાતીઓને જમતી વખતે ગોળમાં ઘી નાંખીને ખાવાની આદત હોય છે. શિયાળામાં ગોળને ગુણકારી માનવામાં આવે છે. ગોળને પ્રાકૃતિક મીઠાઈના રૂપમાં ઓળખવામાં આવે છે. ગોળમાં ઘી નાંખીને ખાવાથી અનેક લાભકારી ગુણો આપણા શરીરને મળે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ગોળ સ્વાદ સાથે સાથે સારા સ્વાસ્થ્યનો પણ ખજાનો છે.
શિયાળામાં ખાઓ સુપરફૂડ્સ
ગોળ-ધીને માનવામાં આવે છે સુપરફૂડ
શિયાળામાં શરીરને આપો વિટામિન્સ
જો તમને ગળામાં કે ફેફસાંમાં ઇન્ફેક્શન થઇ ગયું હોય તો તમારે રોજ રાતે સૂતાં પહેલાં ગોળ અને ઘી ગરમ કરીને ખાવું જોઈએ, આનાથી તમારું ઇન્ફેક્શન મટી જશે. આ ઉપચાર હાલ કોરોનાકાળમાં ઘણો જ ઉપયોગી છે.
સાંધામાં દુખાવો થતો હોય તો ગોળ અને આદું સાથે ખાવાથી ફાયદો થાય છે. સામાન્ય રીતે અનેક પરિવારોમાં શિયાળામાં ગોળ સૂંઠ અને ઘીની નાની નાની લાડુલી બનાવીને રોજ સવારે ખાવાની ટેવ હોય છે.
ગોળ અને ઘી સાથે ખાવાથી શિયાળામાં તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ સાથે શરદી થાય ત્યારે અથવા તો આખા શિયાળામાં ગોળનો ઉપયોગ લાભદાયી સાબિત થાય છે. ગોળ ગુણમાં ગરમ હોવાથી શરદી, સળેખમ અને ખાસ તો કફમાં રાહત આપે છે. આ માટે તમે ઘી અને ગોળને સાથે ખાઈ શકો છો જો તમને ગેસ કે એસિડિટી થતી હોય તો જમ્યા પછી થોડો ગોળ ખાઓ. ઘણાં લોકોને ઠંડીને લીધે કાનમાં દુખાવો થતો હોય તો કાનમાં સરસિયા તેલનાં ટીપાં નાખો અને ગોળમાં ઘી મિક્સ કરીને ખાશો તો દુખાવો મટી જશે.
ગોળ મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે. ગોળ ખાવાથી માંસપેશી અને રક્તવાહિનીને રાહત મળે છે. ગોળમાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. જેનથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.