બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / will india lose mumbai by 2050

રિપોર્ટ / માયનગરી પર જળપ્રકોપનો ખતરો, 2050 સુધી ડૂબી જશે માયાનગરી?

Published By: Mehul

Last Updated: 08:10 PM, 30 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમુદ્રના પાણીનું સ્તર જે પ્રકારે વધી રહ્યું છે, તેથી ચિંતા થવી સ્વાભાવિક છે. એક રિપોર્ટમાં હાલમાં જ દાવો કરાયો છે કે વર્ષ 2050 સુધી સમુદ્રનું જળસ્તર વધવાથી ત્રણ ગણી વધારે અસર પડી શકે છે. રિપોર્ટ અનુસાર માયાનગરી મુંબઇ પર જળપ્રકોપનો ખતરો તોળાઇ રહ્યો છે. આ રિપોર્ટ બાદ દેશની આર્થિક રાજધાનીના સમાપ્ત થઇ જવાની ચિંતાઓ વધી ગઇ છે.

  • ન્યૂયોર્ક ટાઇમ્સની એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી
  • માયાનગરી મુંબઇ પર જળપ્રકોપનો ખતરો તોળાઇ રહ્યો છે
  • મુંબઇનો મોટાભાગનો ભાગ ખતમ થઇ શકે છે

દેખાઇ રહ્યો છે ખતરો

ન્યૂયોર્ક ટાઇમ્સની એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. ગત સપ્તાહે જ રિસર્ચરના એક સમૂહે સેટેલાઇટ રીડિંગની મદદથી લેન્ડ એલિવેશનનો નિશ્ચિત અનુમાન લગાવવાની રીત શોધી છે. આ રિસર્ચના હિસાબે એક મોટા વિસ્તારમાં સમુદ્રનું જળસ્તર વધવા પર થનારી ત્રાસદીનું નિશ્ચિત આકલન કરવું સંભવ બની શક્યું છે. તેમા બતાવાયું છે કે પહેલા નીકાળવામાં આવેલા આંકડા વધારે આશાવાદી હતા.

દરિયાઇ ધોવાણ

રિસર્ચ પેપરને ક્લાઇમેટ સેન્ટ્રલે જાહેર કર્યું છે. આ ન્યૂજર્સીનું એક સાયન્સ સંસ્થાન છે. આ નેચર કમ્યુનિકેશન નામના એક જર્નલમાં છપાયું છે. આ પૂર્વાનુમાનમાં જોકે, જનસંખ્યાના વધવાથી અથવા દરિયાઇ ધોવાણને કારણે જમીનના નુકશાન વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 

શું છે ચિંતાનું કારણ? 

નવા રિસર્ચમાં એ બતાવાયું છે કે આ સદીના મધ્ય સુધી 15 કરોડ જેટલી જગ્યાઓ પર રહે છે, તે હાઇ ટાઇડ લાઇનની અસર હેઠળ આવી જશે. 

તસવીર દ્વારા સમજો અંતર

જો આપ ઉપરની બંને તસવીરને જુઓ તો મુંબઇનો મોટાભાગનો ભાગ ખતમ થઇ શકે છે. દ્વીપોના સમૂહ પર વસેલા આ શહેરનો ડાઉનટાઉન એરિયા ઘણો સંવેદનશીલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે દેશોએ વિશેષ સાવધાની રાખવાની જરૂર છે જે સમુદ્રના કિનારે વસ્યા છે. એમણે પોતાના નાગરિકોને દેશના અંદરના વિસ્તારોમાં વસવાટ કરવાની જરૂર છે. 

ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન ફોર માઇગ્રેશન એક સંસ્થા છે. તે માઇગ્રેશન અને ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રમાં કામ કરે છે. તેમણે કહ્યું, અમે આ વિશે સતત ચેતવણી આપી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે એવુ થઇ શકે છે. મોટી પ્રમાણમાં વસ્તીને આ ખતરાથી બચાવવા માટે પહેલાથી ઉપાયો શરૂ કરવા જોઇએ.

 

સંકળાયેલા મુદ્દાઓ

India Mumbai Mumbai News National News ગુજરાતી ન્યૂઝ મુંબઇ Report

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ