બ્રેકિંગ ન્યુઝ
લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું
અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન
અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
Last Updated: 03:37 PM, 10 May 2024
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન પર મુક્ત કરવાનો નિર્ણય સંભળાવ્યો છે. અરવિંદ કેજરીવાલ હાલ તિહાર જેલમાં બંધ છે.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જો કે, તેના વકીલે 4 જૂન સુધી મુક્ત કરવાની વિનંતી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.
અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
અરવિંદ કેજરીવાલે ચૂંટણી પ્રચાર માટે જામીન મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. EDએ તેમને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. EDએ કહ્યું કે ચૂંટણી પ્રચાર જામીન માટેનો આધાર ન હોઈ શકે, કારણ કે તે મૂળભૂત અથવા કાનૂની અધિકાર હોઈ શકે નહીં. EDએ એમ પણ કહ્યું હતું કે જામીન આપવાથી ખોટું દાખલો બેસશે.
કેજરીવાલ તરફથી હાજર રહેલા સીનીયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ 4 જૂન સુધીમાં મુક્ત કરવાની વિનંતી કરી હતી. જોકે કોર્ટે તેને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કેજરીવાલ 1 જૂન સુધી વચગાળાના જામીન પર રહેશે અને તેમણે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે.
કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ચૂંટણી પ્રચાર માટે જામીન પર મુક્ત થવાની વિનંતી કરી હતી. હવે તેમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. કેજરીવાલ ત્રણ અઠવાડિયા સુધી જેલની બહાર રહેશે. આ દરમિયાન કેજરીવાલ આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરી શકે છે. દિલ્હીની સાત લોકસભા સીટો માટે 25 મેના રોજ મતદાન થશે.
અરવિંદ કેજરીવાલની જામીન શરતો હજુ નક્કી કરવામાં આવી નથી. જો કે, તેમની જામીન અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જામીન મળ્યા પછી પણ કેજરીવાલ સત્તાવાર કામ કરી શકશે નહીં. એટલે કે જામીન પર બહાર આવ્યા બાદ કેજરીવાલ જ પ્રચાર કરી શકશે. આ સિવાય કેસ સંબંધિત વાત કરવા પર પણ પ્રતિબંધ મુકી શકે છે.
વધુ વાંચોઃ
વેબ સીરિઝ જેવું રિયલ, RO રિપેર કરવા આવેલા મિકેનીકે રસોડામાં રુપાળી માલકણ સાથે કર્યું ખૌફનાક
ઇડી દારૂ કૌભાંડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરી શકે છે. આ પહેલીવાર હશે જ્યારે ED કેજરીવાલ સામે ચાર્જશીટ દાખલ કરશે. ચાર્જશીટમાં પહેલીવાર કેજરીવાલનું નામ આરોપી તરીકે લખવામાં આવશે. EDએ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડના 'કિંગપિન' ગણાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેઓ દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવામાં સીધા સામેલ હતા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT