આજે કૃષ્ણ જન્મોત્સ્વથી આખું જગત રંગાયું છે. ત્યારે કુષ્ણ તત્વ શું છે અને જન્માષ્ટમીનું મહત્વ શું છે તે વિશે વાત કરીએ તો ભગવાનનું પ્રાગટ્ય લગભગ આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલાંનું છે.
દ્વાપર યુગના અંતમાં ભગવાન પ્રગટ થયા હતા. આપણને પ્રશ્ન થાય કે, ભગવાન કેમ પ્રસન્ન થાય છે? તો ભગવાન માત્ર ફરવા માટે કે પૃથ્વી જોવા માટે નથી આવતા. ભગવાનનું પ્રાગટ્ય એક ચોક્કસ ટાઇમ ટેબલ પ્રમાણે થતું હોય છે કે મારે પ્રગટ થવું છે અને પ્રગટ થયા પછી આટલી આટલી વસ્તુ મારે કરવી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર ભગવાને સ્વમુખે પોતાના પ્રગટ થવાના મુખ્ય ત્રણ કારણો જણાવ્યા છે. જે જાણીએ સંસ્કૃત આચાર્ય વિનોદભાઇ પંડ્યા જોડેથી.