બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / New Rule : બેંક એકાઉન્ટમાં જે નોમિનીનું નામ હોય અને તેનું જ મૃત્યું થાય તો પૈસા કોને મળશે? જાણો નવો નિયમ
Last Updated: 07:30 PM, 25 October 2025
અત્યારે લગભગ દરેક લોકો પાસે બેંક એકાઉન્ટ હશે. જેમાં તમને જાણ હશે કે,દરેક બેંક એકાઉન્ટ હોલ્ડર્સ માટે તેમનું નોમિની નોંધાવવું ફરજિયાત છે. તેનાથી જાણવા મળે છે કે, એકાઉન્ટ હોલ્ડર્સને કંઈ થઇ જાય તો તેના પૈસા કોને મળશે. તેમ છતાં પ્રશ્ન એ ઊભો થાય છે કે જો ખાતાધારકના એકાઉન્ટમાં નોંધાયેલ નોમિની મૃત્યુ પામે તો પૈસા કોને મળશે?
ADVERTISEMENT
અગાઉ બેંકોને એકાઉન્ટ હોલ્ડર્સના પૈસા કોને મળવા જોઈએ તે નક્કી કરવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. એના માટે લાંબી કાનૂની પ્રક્રિયા થતી હતી. પણ હવે ભારત સરકાર દ્વારા એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જેથી બેંક એકાઉન્ટનો નોમિની મૃત્યુ પામે તો પણ બેંકને હવે પૈસા કોને આપવા તેની ચિંતા નહીં કરવી પડે.

ADVERTISEMENT
બેંકોને એકાઉન્ટ પર નોમિની નોંધાવવું ફરજિયાત છે. જો નોમિનીનું પણ મૃત્યુ થયું હોય તો પણ પૈસા નોમિનીને જ આપવામાં આવશે. પરંતુ આ નોમિની બીજું હશે. ઘણાને સવાલ થશે કે આવું કેવી રીતે બને? તો, તમને જણાવી દઈએ કે, સરકારે બેંકોમાં નોમિનીને લગતા નિયમોમાં ફેરફાર કર્યો છે, જે 1 નવેમ્બર 2025 થી લાગુ થશે.
ADVERTISEMENT
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નિયમો મુજબ એક ખાતાધારક હવે તેમના બેંક એકાઉન્ટમાં કે લોકરમાં ચાર નામો સુધી નોમિનીના નામોની નોંધણી કરાવી શકે છે. આ નામો ક્રમિક એટલે કે, સિકવન્સલી રીતે નોંધણી કરાવી શકાય છે. જો તમે ક્રમિક રીતે નામો પસંદ કર્યા હોય અને પ્રથમ નોમિનીનું મૃત્યુ થાય તો નેક્સ્ટ નોમિનીનું નામ એક્ટીવ થઇ જશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
મતલબ કે, પ્રથમ નોમિનીના મૃત્યુ બાદ નેક્સ્ટ નોમિની ક્લેમ કરી શકે છે. અને જો તે નોમિનીને કંઈક થાય તો તેની બાદનું નોમિની ક્લેમ કરશે. તેનાથી બેંક માટે આ બધા વિવાદો દૂર થશે. કેમ કે, તેના નિયમોમાં સ્પષ્ટ કરાયું છે કે કયો નોમિની ક્યારે એક્ટીવ થશે. આ નવી જોગવાઈ બેંકિંગ લો (અમેડમેન્ટ) એક્ટ 2025નો હિસ્સો છે, જે 1 નવેમ્બર 2025થી લાગુ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.