બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:07 AM, 3 March 2026
આ વર્ષે રંગોનો તહેવાર એક મહત્વની ખગોળીય ઘટના સાથે પણ જોડાઈ રહ્યો છે. જેમાં 3 માર્ચે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ અને 4 માર્ચે રંગોની હોળી ઉજવવામાં આવશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ચંદ્રગ્રહણ સિંહ રાશિ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં થશે. જે સમગ્ર દેશ અને વિશ્વ તેમજ તમામ 12 રાશિઓને અસર કરી શકે છે. આ સમય દરમિયાન મંદિરના દરવાજા બંધ કરવામાં આવે છે અને પૂજા અને પ્રાર્થના જેવી પ્રવૃત્તિઓ ટાળવામાં આવે છે.
ADVERTISEMENT
ધાર્મિક માન્યતા અનુસાર, સૂતક કાળ ચંદ્રગ્રહણના લગભગ 9 કલાક પહેલા શરૂ થાય છે. જેમાં 3 માર્ચ, સવારે 6:20 વાગ્યે શરુ થશે. ચંદ્રગ્રહણ લગભગ 3:20 વાગ્યે શરૂ થશે. જેનો પીક ટાઈમ લગભગ 5 વાગ્યે છે. આ ગ્રહણ 6.45 સમાપ્ત થશે. આ ગ્રહણ સમાપ્ત થયા બાદ સ્નાન અને દાન કરવાની પરંપરા પણ ઘણી જગ્યાએ જોવા મળે છે.
ADVERTISEMENT
હોલીકા દહન અને પૂર્ણિમાના દિવસ બાદ 4 માર્ચે રંગોની હોળી ઉજવવામાં આવશે. આ દિવસે લોકો એકબીજા પર રંગો અને ગુલાલ લગાવીને આ તહેવાર ઉજવે છે. ઘરે વાનગીઓ તૈયાર કરવામાં આવે છે, અને લોકો શુભેચ્છાઓનું આદાનપ્રદાન કરે છે.
ADVERTISEMENT
આ રાશિઓ માટે શુભ સંકેતો - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણ દરેક રાશિઓને અલગ રીતે અસર કરી શકે છે. આ સમય વૃષભ, મિથુન, તુલા અને ધનરાશિ માટે પ્રમાણમાં અનુકૂળ માનવામાં આવે છે. આ રાશિવાળા લોકો કરિયર અને આર્થિક બાબતોમાં સકારાત્મક પરિણામોનો અનુભવ કરી શકે છે.

ADVERTISEMENT
આ રાશિઓએ રાખવી સાવધાની - સિંહ, કર્ક, કન્યા અને વૃશ્ચિક રાશિને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. તેમને સ્વાસ્થ્ય, ખર્ચ અને માનસિક તણાવ અંગે સાવધાની રાખવાની જરૂર પડી શકે છે.
ADVERTISEMENT
ગ્રહણ દરમિયાન મંત્રોચ્ચાર અને ધ્યાન કરવું શુભ માનવામાં આવે છે. ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરો. જરૂરિયાતમંદોને દાન કરો.
ADVERTISEMENT
સુતક કાળ દરમિયાન મંદિરોમાં પૂજા કરવાનું ટાળો. ગ્રહણ દરમિયાન ખાવાનું ટાળો. સગર્ભા સ્ત્રીઓને ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહણ સમાપ્ત થયા બાદ ચોખા, ખાંડ, કપૂર અને સફેદ વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવે છે. એવું પણ મનાય છે કે તે ગ્રહણ સાથે સંકળાયેલા ખરાબ પ્રભાવોને દૂર કરે છે.
(DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.