બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ક્યારે છે સર્વ પિતૃ અમાવસ્યા? જાણો શુભ સમયથી લઇને ધાર્મિક મહત્વ-તારીખ

ધર્મ / ક્યારે છે સર્વ પિતૃ અમાવસ્યા? જાણો શુભ સમયથી લઇને ધાર્મિક મહત્વ-તારીખ

Last Updated: 09:57 AM, 11 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ શાસ્ત્રો અનુસાર, કોઈ કારણોસર પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોનું શ્રાદ્ધ બાકી રહી ગયું હોય તો તમે સર્વપિતૃ અમાસના દિવસે આ કામ કરી શકો છો. આ વર્ષે સર્વપિતૃ અમાસ ક્યારે છે તેનું શુભ મુહૂર્ત કેટલા વાગે છે તે જાણીશું.

હિન્દુ ધર્મમાં સર્વપિતૃ અમાસનું વિશેષ મહત્વ છે. જો કોઈ કારણોસર પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોનું શ્રાદ્ધ કરવામાં ન આવે તો આ દિવસે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કરીને શ્રદ્ધાંજલિ અપી શકાય છે. આ પવિત્ર દિવસ બાદ શારદીય નવરાત્રિ શરૂ થાય છે. પિતૃપક્ષનો છેલ્લો દિવસ એટલે કે, સર્વપિતૃ અમાસ પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે એક ખાસ દિવસ મનાય છે.

  • સર્વપિતૃ અમાસ 2025ની તિથિ

આ વર્ષે અશ્વિન મહિનાની અમાસ તિથિ 21 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:16 વાગ્યે શરૂ થશે. અને 22 સપ્ટેમ્બરના રોજ બપોરે 1:23 વાગ્યે સમાપ્ત થશે. આમ આ વર્ષે સર્વપિતૃ અમાસ 21 સપ્ટેમ્બરના રોજ ઉજવાશે.

  • તર્પણ અને પિંડદાન માટે શુભ મુહૂર્ત

કુતુપ મુહૂર્ત સવારે 11:50 થી બપોરે 12:38 વાગ્યા સુધી રહેશે. રૌહિણ મુહૂર્ત બપોરે 12:38 થી 1:27 વાગ્યા સુધી અને અપરાહ્ય કાળ બપોરે 1:27 થી 3:53 વાગ્યા સુધીનું છે. એવી માન્યતા છે કે આ મુહૂર્તમાં કરવામાં આવતા તર્પણ અને પિંડદાન સૌથી ફળદાયી હોય છે.

  • કેમ કહેવાય છે સર્વપિતૃ અમાસ?

શાસ્ત્રો અનુસાર, આ દિવસે કરવામાં આવતા શ્રાદ્ધ અને તર્પણથી દરેક પૂર્વજોની આત્માઓ તૃપ્ત થાય છે. એટલા માટે તેને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે. મતલબ કે બધા પૂર્વજોને મોક્ષ કરનારી અમાસ.

વધુ વાંચો : ધનવાન બનવું છે? તો અપનાવો આચાર્ય ચાણક્યની આ 7 નીતિ

  • સર્વપિતૃ અમાસે કરો આ શુભ કામ

સવારે સ્નાન કરીને પૂર્વજોની શાંતિ માટે પ્રાર્થના કરો. જો શક્ય હોય તો આ દિવસે નદીમાં સ્નાન કરો. વિધિ મુજબ તમારા પૂર્વજો માટે તર્પણ અને પિંડદાન કરો. ગાય, કૂતરા, કાગડા, કીડી અને દેવતાઓ માટે ભોજન નીકાળો. બ્રાહ્મણોને ભોજન કરાવો તથા તમારી ક્ષમતા મુજબ દાન આપો. આમ કરવાથી તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ રહેશે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pitru Tarpan Pind Daan Sarva Pitru Amavasya
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ