બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / What did the country's meteorological department predict? From today onwards, cheap grains will be available as per Rabeta, the strike is over, India's rights in the World Cup
Vishal Khamar
Last Updated: 11:42 PM, 3 November 2023
દક્ષિણ ભારતમાં વરસાદનો નવો તબક્કો આવવાનો છે, જ્યાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે ગુરુવારે એક અપડેટ આપ્યું છે કે તમિલનાડુ, કેરળ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટકના વિસ્તારોમાં 3 થી 6 નવેમ્બર દરમિયાન ભારે વરસાદ થશે. જો કે આગામી પાંચ દિવસ સુધી અન્ય વિસ્તારોમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં.
રાજ્યની સસ્તા અનાજની દુકાનધારકોના એસોશિએશન સાથે બેઠક બાદ તેમણે હડતાલ સ્થગિત કરવાનો નિર્ણય કરીને આજથી એટલે કે તા. ૦૩ નવેમ્બરથી દુકાનો ખુલ્લી રાખીને પુરવઠા વિતરણ ચાલુ કરવાની ખાતરી આપી છે તેને રાજ્ય સરકાર આવકારે છે તેમ આજે ગાંધીનગરથી અન્ન, નાગરિક અને પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇએ કહ્યું હતું કે દિવાળીના તહેવારો બાદ એસોશિએશનની માંગણી પરત્વે સરકાર હકારાત્મક વિચારણા સાથે બેઠક કરીને યોગ્ય નિર્ણય કરશે.
દિવાળી, નવા વર્ષના તહેવાર ટાણે જ MPHW અને FHWના કર્મચારીઓને મોટા આંચકા સમાન સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં MPHW અને FHWના કર્મચારીઓ ફિક્સ- પે સર્વેલન્સ પ્રોત્સાહનનો લાભ નહિ મળે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે સર્વેલન્સ પ્રોત્સાહનને સ્પષ્ટતા કરી હતી. 2022માં થયેલી જાહેરાત બાદ કર્મચારીઓને સહાય ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યમાં હાર્ટ અટેકથી થતા મોતની સંખ્યામાં સતત વધારો થતા હાહાકાર મચ્યો છે. એક સમયે કોરોના અને તેનાથી થતાં મોતે ચિંતા જગાડી હતી. ત્યારે હાલ હાર્ટ અટેકના વધતા જતા કિસ્સા અને તેનાથી થતા મોતના કારણે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. સાબરકાંઠાના હિમંતનગર વિજાપુર હાઇવે પર ST બસ ડ્રાઇવરને ચાલુ બસમાં હાર્ટ એટેક આવ્યો હતો. જો કે ડ્રાઈવરે બસને કાબૂ કરી સાઈડમાં ઉતારી દેતા દુર્ઘટના ટળી હતી.. હાર્ટએટેક બાદ ST બસના ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
રાજ્યમાં અગાઉ લેવાયેલી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થયેલા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નવા તલાટી અને જુનિયર ક્લાર્કને 6 નવેમ્બરે ગાંધીનગર ખાતે નિમણૂક પત્રો આપવામાં આવશે. અત્રે જણાવીએ કે, અંદાજે 4,500 જેટલા લોકોને આ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. જિલ્લા ફાળવણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ આ પ્રક્રિયા હાથ ધરાશે.
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન હવે રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું સામે આવ્યું છે. રાજકોટ પોલીસ કમિશ્નરે દિવાળીમાં ફટાકડા ફોડવાના સમયને લઇ જાહેરનામું જાહેર કર્યું છે. જે મુજબ હવે રાજકોટમાં દિવાળીએ રાત્રિના 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે.
નવા ટીપીઓનાં પત્રનાં આધારે 125 બિલ્ડર્સ અને જમીન માલિકોની યાદી તૈયાર કરાઈ છે. ટીપીઓ વિભાગનાં જ જૂના અધિકારીઓએ કરેલા ગોટાળાને ટીપીઓ વિભાગનાં મહિલા અધિકારીએ ખુલ્લા પાડ્યા છે. ટીપીઓએ કોર્પોરેશનને પત્ર લખી આવા બિલ્ડરોનાં બાંધકામ મંજૂરી અને કાર્યવાહીની તપાસ કરવા પત્ર લખ્યો છે. કોર્પોરેશને બિલ્ડરો અને જમીન માલિકોને નોટિસ આપતા ક્રેડાઈએ દેકારો મચાવ્યો હતો.
કચ્છની ધરતી પર ભૂકંપના આંચકા આજે પણ યથાવત રહેવા પામ્યા હતા. આજે ફરી એક વખત દુધઈ નજીક 4.1ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકોમવા ફફડાટ ફેલાયો હતો. બીજી બાજુ કચ્છમાં હજુ ગઇકાલે દુધઇ પાસે 2.08ની તીવ્રતાનો હળવો ધરતીકંપનો આંચકો આવ્યા બાદ આજે ફરી આ જ વિસ્તારમાં સાંજે 7:52 કલાકે 4.01ની માત્રામાં ભૂકંપનો આંચકો નોંધાયો લોકો ઘર છોડી બહાર નીકળી ગયા હતાં.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના સમન્સને અવગણીને ગુરુવારે મધ્યપ્રદેશ ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમની ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામના દિવસ સુધી તેઓ જેલમાં રહી શકે છે. કેજરીવાલે કહ્યું કે તેમની ધરપકડ કરી શકાય છે, વિચારશીલ નહીં. કેજરીવાલે સિંગરૌલીમાં તેમના ઉમેદવાર રાણી અગ્રવાલ માટે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન સાથે રોડ શો યોજ્યો હતો. બાદમાં તેમણે લોકોને સંબોધિત કરતા કહ્યું કે તેમને રોજ ધરપકડની ધમકી આપવામાં આવે છે. "દરરોજ તેઓ મને ધમકી આપે છે કે તેઓ કેજરીવાલની ધરપકડ કરશે. કેજરીવાલની ધરપકડ કરીને તેઓ કેજરીવાલની વિચારસરણીની કેવી રીતે ધરપકડ કરી કરશે? તમે હજારો અને લાખો કેજરીવાલની ધરપકડ કેવી રીતે કરશો? કેજરીવાલે કહ્યું કે પહેલા દિલ્હી કૌભાંડો તરીકે ઓળખાતું હતું, પરંતુ આજે સારી શાળાઓ, હોસ્પિટલો, વૃદ્ધોની તીર્થયાત્રાની વાત કરવામાં આવે છે. અન્ના આંદોલનનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે રામલીલા મેદાનમાં જે લોકો મંચ પર હતા તેમની ધરપકડ થઇ શકે છે, પરંતુ કરોડો લોકોની ભીડને તેઓ કેવી રીતે પકડશે. "તેઓ આપણી ધરપકડ કરે તો પણ કોઈ ફરક પડતો નથી. કેજરીવાલને જેલમાં જવાનો ડર નથી.
સતત બે દિવસના ઘટાડા પછી ગુરુવારનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઉત્તમ રહ્યું. રોકાણકારોની ખરીદીને કારણે સેન્સેક્સ ફરી 64,000ના આંકને પાર કરવામાં સફળ રહ્યો હતો અને નિફ્ટી 19,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો. બેંકિંગ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે. મિડ કેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 490 પોઈન્ટના ઉછાળા સાથે 64,081 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 144 પોઈન્ટના ઉછાળા સાથે 19,133 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
સાઉથ સુપરસ્ટાર અને ફિલ્મમેકર નાગબાબૂ અને પદ્મજાના પુત્ર અને અભિનેતા વરૂણ તેજએ 1 નવેમ્બર 2023ના દેવરાજ અને કિરણ ત્રિપાઠીની દિકરી લાવણ્યા ત્રિપાઠી સાથે ઈટલીના ટસ્કનીમાં બોર્ગો સેન ફેલિસ રિસોર્ટમાં લગ્ન કર્યા છે.. વરૂણ અને લાવણ્યાના લગ્નની તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહી છે.. જેમાં બંને ખુબ જ સુંદર લાગી રહ્યાં છે. ત્યારે આવો જાણીએ કે વરૂણ અને લાવણ્યાના લગ્નમાં સાઉથના ક્યા ક્યા સ્ટાર્સ હાજર રહ્યાં હતા.
2023ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડીયા જોરદાર ફોર્મમાં છે. સતત 7મી મેચ જીતીને ભારતે સત્તાવાર રીતે વર્લ્ડ કપની સુપર-4માં એન્ટ્રી લઈ લીધી છે. ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે શ્રીલંકાને જેવો તેવો નહીં પરંતુ મોટા 302 રનથી પરાજય આપ્યો હતો. વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતની આ સૌથી મોટી જીત છે. ભારતે 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ટીમે 2007માં બર્મુડાને 257 રનથી હરાવ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime