બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ''પ્રેમલગ્નથી પણ કોઇને વાંધો ના હોઇ શકે પરંતુ...'', આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે લાલજી પટેલએ આ શું કહ્યું?
Last Updated: 04:29 PM, 11 May 2026
બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલા એક સામાજિક કાર્યક્રમ દરમિયાન SPG પ્રમુખ લાલજી પટેલએ આંતરજ્ઞાતિ લગ્ન અને યુવતીઓના સંસ્કાર મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન બાદ સમાજમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
ADVERTISEMENT
સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ: લાલજી પટેલ
લાલજી પટેલે જણાવ્યું હતું કે, “સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ.” તેમણે વધુમાં કહ્યું કે જો કોઈ યુવતી ગુંડાતત્વો અથવા અસામાજિક તત્વો સાથે ભાગીને લગ્ન કરે તો તે સ્વીકાર્ય નથી. “કદાચ સમાજ ચલાવી લેશે, પરંતુ SPG નહીં ચલાવે,” એમ તેમણે કડક શબ્દોમાં જણાવ્યું.
ADVERTISEMENT
સમાજની દીકરી ગુંડાતત્વ સાથે લગ્ન કરશે તો ચલાવામાં નહીં આવે: લાલજી પટેલ
ADVERTISEMENT
તેમણે એવો પણ દાવો કર્યો કે અસામાજિક તત્વો પાસે ગયેલી દીકરીઓને પાછી લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે. સાથે જ માતા-પિતાને સંબોધતા તેમણે દીકરીઓને સારા સંસ્કાર અને યોગ્ય સમજણ આપવાની અપીલ કરી.
પરિવારોને સજાગ રહેવાની જરૂર
ADVERTISEMENT
મોબાઇલ અને સોશિયલ મીડિયા યુગનો ઉલ્લેખ કરતા લાલજી પટેલે કહ્યું કે આજના સમયમાં યુવતીઓ ટેકનોલોજીના પ્રભાવ હેઠળ કેટલીક વખત ખોટા નિર્ણયો લઈ રહી છે. તેથી પરિવારોને વધુ સજાગ રહેવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું.
આ પણ વાંચોઃ ગુજરાતભરમાં હિટવેવની આગાહી, તાપમાનનો પારો જશે 44 ડિગ્રીને પાર
ADVERTISEMENT
દીકરીઓને સારી સમજણ અને સંસ્કાર આપો: લાલજી પટેલ
લાલજી પટેલના આ નિવેદનને લઈને વિવિધ વર્ગોમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક લોકો તેમના નિવેદનને સમાજ માટે ચેતવણીરૂપ માની રહ્યા છે, જ્યારે કેટલાક લોકો વ્યક્તિગત સ્વતંત્રતા અને આંતરજ્ઞાતિ લગ્નના અધિકારને લઈને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.