ઘણાં લોકોના ઘરમાં પ્રવેશીએ અને આપણને અદભુત શાંતિનો અનુભવ થાય છે તો કેટલાક ઘરમાં પ્રવેશતા નેગેટિવ એનર્જી આવે છે, આ બધી બાબતો પાછળનું કારણ ક્યારેક ખોટી આદતો પણ હોઇ શકે છે. જે ઘરમાં કજિયા-કંકાસ રહેતો હોય તેની પાછળ ઘરની નેગેટિવ એનર્જી જ હોય છે. ફેંગશુઇ અનુસાર પોતાની આ આદતો કે વસ્તુઓમાં બદલાવ લાવીને તેનાથી બચી શકાય છે. ફેંગશુઇ મુજબ કેટલીક વસ્તુઓ બદલવામાં જ ભલાઇ છે.
બારી તરફ પીઠ ન કરો
બારી તરફ પીઠ કરીને બેસવાથી શરીરની બધી સકારાત્મક ઉર્જા બારીના રસ્તે બહાર જતી રહે છે. તેની સાથે જ આત્મવિશ્વાસ અને તણાવ વધવા લાગે છે. આવા સમયે બારી તરફ મોં કરીને બેસવુ જોઇએ.
દિવાલ ખાલી ન રાખો
ફેંગશુઇ અનુસાર ઘરની દરેક દિવાલ પર કોઇ ફોટો કે પેઇન્ટીંગ જરુર લગાવેલુ હોવુ જોઇએ. તેને ક્યારેય ખાલી ન છોડવુ જોઇએ. આ સાથે ખાલી દિવાલ તરફ મોં કરીને બેસવાથી પણ વ્યક્તિ એકલતા અને માનસિક તણાવનો શિકાર બને છે.
દરવાજા સામે ન સુવો
કોઇ પણ વ્યક્તિએ ક્યારેય દરવાજા સામે મોં કરીને ન સુવુ જોઇએ. એમ કરવાથી જીવનમાં સંકટો અને મુસીબતોનુ આગમન થાય છે. મૃત વ્યક્તિને તે તરફ રાખવાનું શુભ માનવામાં આવે છે. તેથી જીવિત વ્યક્તિનું મોં દરવાજા સામે ન હોવુ યોગ્ય માનવામાં આવે છે.
બેડરુમમા અરીસો ન રાખો
ફેંગશુઇ અનુસાર બેડરુમમાં આઇનો રાખવાનું અશુભ માનવામાં આવે છે. અરીસામાંથી ઘણાં પ્રકારની ઉર્જા નીકળે છે જે વ્યક્તિ પર પોતાનો અલગ અલગ પ્રભાવ પાડે છે. તેથી જો તમે બેડરુમમાં અરીસો રાખવા ઇચ્છતા હો તો પણ તે બેડની સામે ન રાખો. નહીંતો મેરિડ લાઇફમાં ઝઘડા વધી જશે.