બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાબરકાંઠાના દલપુરમાં દીવાલ ધરાશાઈ, એકનું મોત, બે ઘાયલ
Last Updated: 04:45 PM, 31 March 2026
સાબરકાંઠા જિલ્લાના દલપુર ગામમાં એક દુર્ઘટનાગ્રસ્ત બનાવ સામે આવ્યો છે. જેમાં દિવાલ ધરાશાઈ થતા એક વ્યક્તિનું મોત થયું છે અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ADVERTISEMENT

દુર્ઘટના સર્જાતા લોકો મદદે દોડી આવ્યા
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ ગામમાં એક મકાનની બાજુમાં ખોદકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક બાજુની દિવાલ ધરાશાઈ થઈ ગઈ. દિવાલ પડતાં ત્રણ લોકો તેની નીચે દબાઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને દબાયેલા લોકોને બહાર કાઢ્યા.

ADVERTISEMENT
ઘાયલોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા
બધા ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. જોકે સારવાર દરમિયાન મકાન માલિકનું મોત નિપજ્યું હતું. જ્યારે બાકી બે ઈજાગ્રસ્ત લોકોની સારવાર ચાલુ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદના જાણીતા પોલીસ સ્ટેશનની અનોખી પહેલ, વ્યસન મુક્તિ માટે લેવાયો મોટો નિર્ણય
સ્થાનિક તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી
ADVERTISEMENT
આ ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાથમિક તપાસ મુજબ ખોદકામ દરમિયાન યોગ્ય સાવચેતી ન રાખવામાં આવતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT