બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Vtv Exclusive Why naliya coldest place in Gujarat
ADVERTISEMENT
રાજ્યમાં ઠંડીના ઈતિહાસની સૌથી કાતિલ ઠંડી પણ નલિયાના નામે જ નોંધાયેલી છે. આજથી ઠીક 8 વર્ષ પહેલા વર્ષ પહેલા એટલે કે,-2012ની 1 જાન્યુઆરીએ નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. 2012ની 1 જાન્યુઆરીએ 3.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચોંકવાનારી વાત એ છે કે, એ તાપમાન મધરાતના બદલે સવારના આઠ વાગ્યા આસપાસનું હતું. એનાથી પણ થોડા દૂરના ભૂતકાળની વાત કરીએ તો વર્ષ 1964માં 11મી ડિસેમ્બરે નલિયામાં 0.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એ તાપમાન નલિયાના ઈતિહાસમાં સૌથી ઓછું તાપમાન તરીકે નોંધાયેલું છે.
કચ્છ ગુજરાતનો ચોથા ભાગનો વિસ્તાર ધરાવે છે
ADVERTISEMENT
ક્ચ્છ ગુજરાતના ચોથા ભાગ ધરાવતો વિસ્તાર છે એટલેકે 45 652 સ્કેવર કિલોમીટરમાં પથરાયેલો છે જે ભારતના સાત રાજ્યો કરતા ક્ચ્છ મોટું છે કચ્છની વિશિષ્ટતા એ છે નાનું અને મોટું રણ ધરાવે છે ઉપરાંત બન્નીનું ઘાસીયું મેદાન જેનો પ્રદેશ ક્ચ્છ વધારે મોટો એટલેકે 30 હજાર સ્કવેર કિલોમીટર માં છે.
ઉત્તરની હિમવર્ષાની સીધી અસર થાય છે
ADVERTISEMENT
આ પ્રદેશ એકદમ ખુલ્લો છે જે ઉત્તર દિશામાં આવેલો છે એટલે જમ્મુ કાશ્મીરમાં અને હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્નને લીધે થતી હિમવર્ષા ની સીધી અસર જોવા મળે છે ઉત્તર દિશાના પવનો રણ વિસ્તારને વધારે અસર કરે છે જલ્દી ઠંડી પકડી લે છે રણ વિસ્તાર ખલ્લો હોવાથી પવન વધારે ઠંડા ફૂંકાય છે. એટલે ક્ચ્છ વિસ્તારમાં વધારે ઠંડી અનુભવાય છે. આ ઉપરાંત નલિયાનો વિસ્તાર કચ્છનો વધારે ખુલ્લો વિસ્તાર છે અને ત્યાં ભૌગોલિક વિસ્તાર કચ્છમાં પણ અલગ પડે છે. નલિયામાં રાજ્યનું વધારે ઠંડીનું તાપમાન નિચે જાય છે.
ઉનાળામાં ગરમી પણ વધુ પડે છે
ADVERTISEMENT
એટલુંજ નહીં ક્ચ્છ રણ વિસ્તાર હોવાથી ઉનાળામાં પણ વધારે ગરમી કચ્છમાં અનુભવાય છે. આમ ગરમી હોયકે ઠંડી કચ્છમાં તેની તાપમાન રાજ્યમાં સૌથી વધારે રહેતું હોય છે. એટલે કચ્છનું વાતાવરણ બહુજ અલગ જોવા મળી રહ્યું છે.
રણને કારણે પણ હવામાનમાં બદલાવ જોવા મળે છે
ADVERTISEMENT
હિન્દુકુશ પર્વતમાળા માંથી અતિશય ઠંડા અને સૂકા પવનોનો દક્ષિણ તરફ પ્રવાહ આવે છે.માર્ગ માં ક્યાં તેમને માટે અડચણ બની ને રોકી શકે તેવી પર્વતમાળા નથી.તેથી તે પ્રવાહ છેક ભારતના કચ્છ સુધી પહોંચે છે.જેને કારણે ખંભાતના અખાત ની નજીક નલિયા તેમજ આજુબાજુના રણ વિસ્તાર ના ગામો માં ઠંડી કેર વર્તાવે છે,પછી ભલે ને તે વિસ્તાર દરિયાકાંઠાથી નજીક નો હોય. પણ શિયાળા માં વાતાવરણ અન્ય દરિયાકાંઠાના વિસ્તારોની માફક શિયાળામાં થોડું હૂંફાળું રહેવાને બદલે વધુ કાતિલ ઠંડુ બને છે.
નલિયામાં ગોઠવાયું છે થર્મોમીટર
સમાચાર અને દૈનિકોમાં નલિયા નું જ તાપમાન સહુ થી નીચું રહે છે તેમ બતાવવામાં આવે છે પરંતુ ખરેખર તાપમાન માપતું થર્મોમીટર નલિયા માં જ ગોઠવેલું છે આજુબાજુ ના વિસ્તારો માં થર્મોમીટર ગોઠવાયેલ નથી. જેથી આપણને નલિયાનું જ તાપમાન મળે છે. અન્ય વિસ્તારોનું નહી. માટે શક્ય છે આજુબાજુ ના અન્ય વિસ્તારોમાં હજુ પણ નલિયા કરતા પણ તાપમાન હજુ પણ નીચું હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.