અમદાવાદના નવરંગપુરાના હાઈપ્રોફાઈલ વૃષ્ટિ અને શિવમ કેસનો અંત આવ્યો છે. બંને ઉતર ભારતની પહાડીઓમાંથી મળી આવ્યા છે. વૃષ્ટિ અને શિવમ પહેલાં નોરતે ગુમ થયા હતા અને તેનાં ગુ થવા મુદ્દે સોહા અલી ખાને પણ ટ્વિટ કર્યું હતું.
ગુમ થયેલા વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ મળી આવ્યા
બંને ઉત્તરભારતના પહાડી વિસ્તારમાંથી મળી આવ્યાં
વૃષ્ટિ અને શિવમને અમદાવાદ લાવવામાં આવશે
ઘણા સમયથી ચર્ચાસ્પદ બનેલા અને ગુમ થયેલા વૃષ્ટિ કોઠારી અને શિવમ મળી આવ્યા છે. તેઓ બંને અગાઉ નવરંગપુરાથી ગુમ થઇ ગયા હતાં. આ બંને ઉત્તરભારતના પહાડી વિસ્તારમાંથી મળી આવ્યાં છે. ક્રાઈમબ્રાંચે બંનેની શોધખોળ હાથધરી હતી. વૃષ્ટિ અને શિવમને અમદાવાદ લાવવામાં આવશે.
અગાઉ વૃષ્ટિએ એની માતાને ઇ-મેઇલ કરી ખબર આપી હતી અને કહ્યું હતું કે ' હાય મોમ...તમને ચિંતામાં મુકવા માટે સૌથી પહેલાં હું તમારી માફી માગુ છું. તમને દુખ પહોંચાડવાનો મારો ઇરાદો ક્યારેય ન હતો. હું ફરી એકવાર માફી માગું છું. એવી કેટલીક વસ્તુ છે. જેનાં કારણે હું તમારી સાથે જીવી ન શકું. એટલે મારે જવું જ પડે. મને ઘણાં અનુભવો થયાં જે હું તમારી સાથે વર્ણાવવાં માંગતી હતી, પણ હું તે વાતને યોગ્ય ન્યાય ન આપી શકી. આ બધા અનુભવોએ મને આગળનાં નિર્ણય લેવા માટે મજબુર કરી.
આગળ એને જણાવ્યું હતું કે હું તમને મેઇલ કરી રહી કહ્યું છું કે હું એકદમ મજામાં છું. મેં નોકરી મેળવી લીધી છે, અને પપ્પા મારા દરેક કદમમાં સાથે છે. હું તમને ખુબ પ્રેમ કરુ છું. માં. ઘર છોડીને મેં તને ભારે દુ:ખ પહોંચાડ્યું છે, પણ મને આશા છે કે એક દિવસ તું મને સમજી શકીશ. મારી કોઇ ચિંતા કરશો નહીં, હું ખુશ છું.
ઉલ્લેખનીય છે કે વૃષ્ટિ ગુમ થઇ ત્યારબાદ સોશ્યલ મીડિયા પર હાહાકાર મચી ગયો અને તેને શોધવા માટે ફિલ્મ અભિનેત્રી સોહા અલી ખાને લોકોને અપીલ કરી હતી. ત્યારબાદથી મીડિયા અને પોલીસ તંત્રજ દોડતું થઇ ગયું હતુ. નવરંગપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મોકલી તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ત્યારે તે લોકોની કોઇ ભાળ મળી નહતી. અંતે આજે તેઓ વરંગપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મોકલી તેમની શોધખોળ હાથ ધરી હતી.
ક્રાઇમ બ્રાન્ચે વૃષ્ટીના ઈ-મેલના ઇન્ટરનેટ પ્રોટોકૉલ એડ્રેસની તપાસ કરવામાં આવી હતી. પોલીસ પાસે બંનેના 35 જગ્યાના સી.સી.ટી કેમેરા ફૂટેજ હતા જેના આધારે બંનેને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યા હતા.