બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:14 PM, 7 May 2026
ભારતીય ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. અંડર-19 માં ટીમ ઈન્ડિયા માટે રમી ચૂકેલા ક્રિકેટર અમનપ્રીત સિંહ ગિલનું 36 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેને 6 મે બુધવારના રોજ ચંદીગઢમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુનું કારણ હજુ સુધી જાહેર થયું નથી.
ADVERTISEMENT
અમનપ્રીત ગિલ પંજાબ ક્રિકેટમાં એક જાણીતું નામ હતું. તેઓ ભારતીય અંડર-19 ટીમમાં વિરાટ કોહલી સાથે રમ્યો હતો. જમણા હાથના ફાસ્ટ બોલર અમનપ્રીત પંજાબ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો હતો. જેમાં 6 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 11 વિકેટ લીધી હતી.

ADVERTISEMENT
અમનપ્રીત 2008માં આઈપીએલની શરૂઆતની સીઝનમાં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમનો પણ હિસ્સો રહી ચુક્યો છે. બાદમાં તેને પંજાબ ક્રિકેટમાં સિલેક્ટર તરીકે સેવા આપી હતી જેમાં તેને સિનિયર પસંદગી સમિતિના સભ્ય તરીકે સેવા આપી હતી. પંજાબ ક્રિકેટ એસોસિએશન (પીસીએ) એ સોશિયલ મીડિયા પર એક શોક સંદેશ જાહેર કરીને લખ્યું હતું કે અમનપ્રીત ગિલે પંજાબ ક્રિકેટની ખૂબ જ સમર્પણ અને જુસ્સાથી સેવા કરી હતી. બોર્ડે તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
Punjab Cricket Association deeply mourns the sad demise of Amanpreet Singh Gill, former Punjab cricketer and Member, Senior Selection Committee Punjab.
— Punjab Cricket Association (@pcacricket) May 6, 2026
He served Punjab cricket with dedication and passion, representing teams including India Under-19s, Kings XI Punjab and Punjab.… pic.twitter.com/tpr0EwEprk
ADVERTISEMENT
અમનપ્રીત ગિલના નિધનના સમાચાર સાંભળીને વિરાટ કોહલી પણ ભાવુક થઈ ગયો હતો. કોહલીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, "અમનપ્રીત ગિલના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેમના પરિવાર અને પ્રિયજનો માટે મારી પ્રાર્થના. ઓમ શાંતિ."
Shocked and saddened to hear about Amanpreet Gill’s passing. Sending prayers and strength to his family and loved ones. Rest in peace. Om Shanti 🙏
— Virat Kohli (@imVkohli) May 7, 2026
ADVERTISEMENT
યુવરાજે ગિલને યાદ કરીને એક ભાવનાત્મક સંદેશ પણ શેર કર્યો. જેમાં યુવરાજે કહ્યું કે, અમનપ્રીત એક મહેનતુ ક્રિકેટર હતો અને તેને રમત પ્રત્યે ખૂબ જ જુસ્સો હતો. તેને કહ્યું કે ડ્રેસિંગ રૂમમાં વિતાવેલા ક્ષણો હંમેશા યાદ રહેશે.
Deeply saddened to hear about Amanpreet Singh Gill’s passing. Shared the dressing room in our early days, he was a quiet, hardworking cricketer who loved the game. My heartfelt condolences to his family and loved ones. Rest in peace 🙏🏻 Om Shanti#AmanpreetSinghGill@pcacricket
— Yuvraj Singh (@YUVSTRONG12) May 6, 2026
ADVERTISEMENT
અમનપ્રીત ગિલે 2007માં ભારતીય અંડર-19 ટીમ સાથે ઇંગ્લેન્ડ, મલેશિયા અને શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. તેને ઘણી યુવા વનડે અને ત્રણ દિવસીય યુવા ટેસ્ટ મેચોમાં પણ ભાગ લીધો હતો. પરંતુ તે 2008માં મલેશિયામાં અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો હિસ્સો નહોતો. તે ટીમનું નેતૃત્વ વિરાટ કોહલીએ કર્યું હતું.
ADVERTISEMENT
તે પહેલી IPL સીઝનમાં પંજાબ કિંગ્સ (તે સમયે કિંગ્સ XI પંજાબ)નો પણ હિસ્સો રહી ચુક્યો છે. હૈદરાબાદમાં બુધવારે રાત્રે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચ દરમિયાન PBKS ખેલાડીઓએ અમનપ્રીતના સન્માનમાં કાળી પટ્ટી પહેરી હતી. અમનપ્રીત ગિલના અંતિમ સંસ્કાર બુધવારે સાંજે 4 વાગ્યે ચંદીગઢના મણિમજરા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. તેમના મૃત્યુથી પંજાબ ક્રિકેટ અને ભારતીય ક્રિકેટ જગતમાં શોકનું મોજું જોવા મળ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.