ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી મેચ ભારતે જીતી લીધી છે. જોકે ભારતીય ખેલાડીઓનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમા તેઓ અંપાયર કહેવા પહેલાજ આઉટ ઈશારો કરી જે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે.
શ્રીલંકા સામે ભારતે બીજી ટી-20 પણ જીતી
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર
ખેલાડીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
ભારત અને શ્રીલંકા વચ્ચે શનિવારે ધર્મશાળામાં બીજી ટી20 મેચ રમાઈ હહતી. જેમા ભારતે 7 વિકેટ સાથે જીતીને 3 મેચોની સિરીઝમાં 2 મેચ જીતી લીધી છે. મેચંમાં શ્રીલંકાએ પહેલા 183 રનનો સ્કોર બનાવ્યો હતો. હવે ત્રીજી અને છેલ્લી મેચ રમવામાં આવશે જોકે બીજી ટી 20 મેચમાં એક વિચિત્ર ઘટના બની છે. જેનો વીડિયો પણ હાલ વાયરલ થયો છે.
શ્રીલંકાની બેટીંગ વખતે યુજવેન્દ્ર ચહલ 10મી ઓવર નાખી રહ્યા હતા. તે સમયે બેટ્સમેન ચરિત અસાંલકા સ્વીપ શૉટ મારવાના ચક્કરમાં LBW થઈ ગયા. મેદાનમાં અંપાયરે તેમને આઉટ આપ્યું પરંતુ અસાલંકાને રિવ્યૂ લીધા. જેમા ટીવીમાં આઉટ બતાવ્યા બાદ અંપાયરે ફરી આંગળી ઉઠાવી પરતુ તે પહેલા જ ભારતના બોલર મોહમ્મદ સિરાદે અંપાયરની પાછળ રહીને આઉટનો ઈશારો કર્યો જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે દરેક મેચો જીતી
આપને જણાવી દીએ કે જ્યારથી રોહિત શર્મા ભારતીય ટીમના કેપ્ટન બન્યા છે. ત્યારખી ભારતે એક પણ મેચ હારી નતી ન્યૃઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝમાં પણ ભારતે ત્રણેય મેચ જીતી હતી. આ સીવાય વેસ્ટઈંડીઝ સામે વન ડે અને ટી 20 સીરીઝમાં પણ બંને દેશોએ મેચ જીતી હતી. અને હવે શ્રીલંકા સામે પણ 3માંથી 2 મેચ જીતી ચુક્યા છે.
સૌથી વધું ટી-20 મેચ જીતવા વાળા કેપ્ટન
ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા સૌથી વધારે ટી-20 ઈન્ટરનેશનલ મેચ જીતવા વાળા કેપ્ટન બની ગયા છે. તેમની કેપ્ટનશીપમાં ભારત સતત દરેક મેચો જીતી રહ્યું છે જેના કારણે તેઓ વધારે ચર્ચામાં આવ્યા છે અને લોકોને પણ તેમની કેપ્ટનશીપ ઘણી ગમી છે.