ઘરમાં મંદિરનું એક અલગ સ્થાન હોય છે. જે રીતે યોગ્ય દિશામાં મંદિર બનાવવું જરૂરી હોય છે. એ રીતે જ ભગવાનની મૂર્તિનું યોગ્ય દિશામાં રાખવી ખુબજ જરૂરી હોય છે.
આજે અમે આપને જણાવીશું કે મંદિરમાં દેવી દેવતાઓની તસવીર કઇ દિશામાં રાખવું જોઇએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ પૂજા ઘરમાં કોઇપણ દેવી દેવતાની મૂર્તિ અને ચિત્ર પૂર્વ અથવા ઉત્તરની તરફ દિવાલ પર રાખવું યોગ્ય માનવામાં આવે છે.
મૂર્તિ અથવા ભગવાનની તસવીરનું મુખ ઉત્તર તરફ ક્યારેય ન રાખવું નહીંતર પૂજા કરનારનું મુખ દક્ષિણની તરફ થઇ જશે. ઉપરાંત દક્ષિણ દિશામાં પૂજા ઘર ક્યારેય ન બનાવવું.
હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે મૂર્તિઓને ક્યારેય જમીન પર ન રાખવી પરંતુ તેને કોઇ લાકડાની પાટલા પર જ રાખવી જોઇએ. એટલે કે ભગવાનના ચરણોની નીચે સિંહાસન જરૂર વિસાવવું.
હિન્દુ ધર્મમાં ઘર પર બનેલા મંદિરનું વિશેષ મહત્વ હોય છે. ઘર પર આ એ ખાસ જગ્યા હોય છે જ્યાં સૌથી વધારે સકારાત્મક ઉર્જા મળે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યારેય પણ પૂજા ઘર દક્ષિણની તરફ ન બનાવવું જોઇએ. એવુ માનવામાં આવે છે કે દક્ષિણ દિશામાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારે રહે છે.