બ્રેકિંગ ન્યુઝ
આજે અમે આપને જણાવીશું કે મંદિરમાં દેવી દેવતાઓની તસવીર કઇ દિશામાં રાખવું જોઇએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ પૂજા ઘરમાં કોઇપણ દેવી દેવતાની મૂર્તિ અને ચિત્ર પૂર્વ અથવા ઉત્તરની તરફ દિવાલ પર રાખવું યોગ્ય માનવામાં આવે છે.
ADVERTISEMENT

મૂર્તિ અથવા ભગવાનની તસવીરનું મુખ ઉત્તર તરફ ક્યારેય ન રાખવું નહીંતર પૂજા કરનારનું મુખ દક્ષિણની તરફ થઇ જશે. ઉપરાંત દક્ષિણ દિશામાં પૂજા ઘર ક્યારેય ન બનાવવું.
ADVERTISEMENT
હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે મૂર્તિઓને ક્યારેય જમીન પર ન રાખવી પરંતુ તેને કોઇ લાકડાની પાટલા પર જ રાખવી જોઇએ. એટલે કે ભગવાનના ચરણોની નીચે સિંહાસન જરૂર વિસાવવું.

ADVERTISEMENT
હિન્દુ ધર્મમાં ઘર પર બનેલા મંદિરનું વિશેષ મહત્વ હોય છે. ઘર પર આ એ ખાસ જગ્યા હોય છે જ્યાં સૌથી વધારે સકારાત્મક ઉર્જા મળે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યારેય પણ પૂજા ઘર દક્ષિણની તરફ ન બનાવવું જોઇએ. એવુ માનવામાં આવે છે કે દક્ષિણ દિશામાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારે રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.