વાસ્તુશાસ્ત્રમાં કહેવાય છે કે વ્યક્તિ જેવા ગાદલા પર સૂવે છે તેની પર તેવી અસર થાય છે. ગાદલા અલગ અલગ પ્રકારના હોય છે. તમારા ઘરમાં પણ બે ત્રણ રીતની પથારી હશે. પરંતુ તેનાથી તમારા પર કેવી સીધી અસર થાય છે એ આજે અમે તમને જણાવીશું.
ઊંંધ અપૂરતી થવી, આર્થિક કે માનસિક સહિતની સ્થિતિ આના કારણે સર્જાઈ શકે છે. અહીં વાસ્તુ એક્સપર્ટ મયંક કાવલ જણાવી રહ્યા છે કે કેવી પથારીમાં સૂવાથી શું અસર થાય. અસર જાણીને તમે આજથી જ તમારી સૂવાની પથારી બદલી નાંખો.
જાણો કેવી પથારી ઉપર સૂવાથી કેવી અસર થાય છે
જો તમે રેશમના ગાદલા પર સૂવો છો તો ઊંઘ સિવાયના વિચાર આવે છે.
દર્ભની ચટાઈ પર સૂવાથી સાત્વિક વિચારો આવે છે.
જો તમે લીરાના ગાદલા પર સૂવો છો તો આર્થિક ચિંતા રહે છે.
જો તમે દેશી રૂના ગાદલા પર સૂવો તો સારી ઊંઘ મળી શકે છે.
જો તમે સિન્થેટીક રૂના ગાદલા પર સૂવો છો તો ઊંઘમાં બાધા આવી શકે છે.