બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ધર્મ / vastu tips do not keep these things in the north direction of the house you may become poor
Kishor
Last Updated: 08:11 PM, 5 July 2023
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘરમાં રાખવામાં આવેલી તમામ ચીજ વસ્તુઓનો આપણા જીવન પર સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પડતો હોય છે. પછી તે દિશા હોય કે ખૂણો હોય તેના ઉપરથી પણ નક્કી થતું હોય છે. ત્યારે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દિશા પણ જીવનમાં ખૂબ જ મહત્વની સાબિત થાય છે. ઘરની એક એવી દિશા જ્યાં ખાસ શાસ્ત્રના નિયમોનું પાલન કરવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશાને મા લક્ષ્મી અને ભગવાન કુબેરની દિશા માનવામાં આવે છે. ત્યારે ક્યારેક અટકેલા કામો ઉકેલવા માટે આ દિશામાં ઉભા રહીને સ્મરણ કરવાથી સમસ્થા ઉકેલાઈ શકે છે.
ઉત્તર દિશામાં શૌચાલય ન રાખવુ
ઉત્તર દિશા વાસ્તુની દ્રષ્ટિએ મહત્વની હોવાથી આ દિશામાં સિડી સહિતની કોઈ ભારે વસ્તુ રાખવી જોઈએ નહીં! વધુમાં ઘરની ઉત્તર દિશામાં શૌચાલય ન રાખવા સહિતની સ્વચ્છતા અંગેની બાબતનોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ! શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઉત્તર દિશાએ ધન આગમનની દિશા ગણાય છે આથી આ દિશામાં કોઈ પણ બંધ દીવાલ રાખવી ન જોઈએ. સાથે સાથે વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર દિશા ભગવાન કુબેરનું રહેઠાણ હોવાથી અહીં રસોઇ કેવી પણ અયોગ્ય માંનવામાં આવે છે.
તો લક્ષ્મી અને કુબેર થઇ શકે છે નારાજ
વધુમાં વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર દિશામાં ક્યારેય પાણ ચપ્પલનો ખડકલો કરવો ન જોઈએ. આવી કરવાથી લક્ષ્મી અને કુબેર નારાજ થઇ શકે છે. તેમજ આ દિશામાં લીલા ફૂલ છોડ વાવવા ખૂબ જ આવકારદાયક માનવામાં આવે છે. એટલુ જ નહી આ દિશામાં નકામી વસ્તુ રાખવાની પણ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.આ દિશામા ભંગાર ભેગો કરવાથી પ્રગતિ અટકી પડે છે.
ઉત્તર દિશામાં શું રાખવું શુભ માનવામાં આવે છે?
વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશામાં ભગવાન કુબેર અને મા લક્ષ્મીની દિશા માનવામાં આવે છે એટલા માટે આ દિશામાં તિજોરી રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેના કારણે ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ રહે છે. આ સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ અને આશીર્વાદ મેળવવા માટે ઘરની ઉત્તર દિશામાં તુલસીનો છોડ રાખવો અને મની પ્લાન્ટ લગાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉપરાંત જો અરીસો ઉત્તર દિશામાં લગાવવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. ખાસ કરીને ઉત્તર દિશામાં દીવાલો પર આછો વાદળી રંગ કરાવો પણ શુભ માનવામાં આવે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime