બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ઘરમાં લાગેલો મની પ્લાન્ટનો છોડ અચાનક સુકાવા લાગે તો અશુભ, જાણો શું નુકસાન

વાસ્તુ ટિપ્સ / ઘરમાં લાગેલો મની પ્લાન્ટનો છોડ અચાનક સુકાવા લાગે તો અશુભ, જાણો શું નુકસાન

Bijal Vyas

Last Updated: 06:09 PM, 5 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટને ધન અને સમૃદ્ધિ આપનાર છોડ માનવામાં આવે છે. આ ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે છે, પરંતુ આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં પણ મદદ કરે છે.

વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટને ધન અને સમૃદ્ધિ આપનાર છોડ માનવામાં આવે છે. આ ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે છે, પરંતુ આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં પણ મદદ કરે છે. પરંતુ ઘણી વખત મની પ્લાન સૂકાય, ના વધે કે પછી જમીન પર તેના પાન ખરી જાય તો આ સંકેત વાસ્તુ દોષની તરફ ઇશારો કરે છે. જો આ સંકેતોને સમય રહેતા સમજી જાઓ તો આર્થિક નુકસાનથી બચી શકાય છે.

મની પ્લાન્ટનું વાસ્તુ મહત્વ

વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ ધનનું પ્રતીક છે. તેવા ઘરમાં લગાવવાથી માં લક્ષ્મીની કૃપા બનેલી રહે છે અને આર્થિક સ્થિતિ મજબૂત હોય છે. આ છોડ નકારાત્મક ઉર્જાને સુકાવવા અને સકારાત્મક ઉર્જા ફેલાવવાનું કામ કરે છે. પરંતુ યોગ્ય જગ્યા અને યોગ્ય રીતથી ના લગાવો તો આ ઉલ્ટો અસર કરી શકે છે.

Money plant direction

આર્થિક હાનિનો સંકેત

જો ઘરમાં લગાવેલ મની પ્લાન્ટ અચાનક સુકાવા લાગે તો વાસ્તુ શાસ્ત્રમાં તેને અશુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમારા ખર્ચ વધવા લાગે છે કે બિનજરુરી ખર્ચથી ધનની હાનિ થઇ શકે છે. ધ્યાન રાખો કે, જો છોડને વધારે તડકો કે પાણી ની ઉણપથી સુકાઇ શકે છે, તો આ સામાન્ય વાત છે પરંતુ કોઇ કારણ વિના સુકાઇ જાય તો વાસ્તુ દોષનો સંકેત હોઇ શકે છે.

મની પ્લાન્ટ ના વધવો કે ચોરી થવી

જો તમે મની પ્લાન્ટ લગાવ્યો છે પરંતુ તે વધી રહ્યો નથી, તો વાસ્તુ અનુસાર આ ધન વૃદ્ધિ રોકાવાનો સંકેત છે. તમારી આવકમાં વૃદ્ધિ થઇ રહી છે. તેમાં ખાસ વધારો થતો નથી. આ રીતે જો તમારો મની પ્લાન્ટ ચોરી થઇ શકે છે તો તેને આર્થિક નુકસાનનો પૂર્વ સંકેત સમજો. વાસ્તુ જાણકાર કહે છે કે, બીજીના ઘરેથી મની પ્લાન્ટ લઇને લગાવવો યોગ્ય માનવામાં આવતો નથી.

money-plant

પાન જમીન પર પડવા

મની પ્લાનના પાન જો જમીન પર પડે છે તો આ સારો સંકેત નથી. વાસ્તુ અનુસાર તેનાથી ઘરની સુખ-સમૃદ્ધિ પ્રભાવિત થાય છે. છોડને તરત જ ઉપરની તરફ બાંધી દો તેથી તેના પાન જમીન પર ટચ ના થાય.

આ પણ વાંચોઃ આ રાશિઓને ધન અને કરિયરમાં થશે જોરદાર ફાયદો, બની રહ્યો છે ત્રિગ્રહી રાજયોગ

મની પ્લાન્ટ લગાવવાનો યોગ્ય ઉપાય

  • મની પ્લાન્ટ લગાવવા માટે શુક્રવાર સૌથી શુભ દિવસ છે.
  • ઉત્તર કે પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવવું શુભ છે.
  • વધારે પાણી ના આપો
  • માટી સુકાવા પર જ પાણી આપો
  • છોડની આસપાસ સાફ-સફાઇ રાખો, સુકાયેલા પાન હટાવી લો.
  • જો પાન સુકાઇ રહ્યા હોય તો તેને હટાવીને નવો છોડ શુક્રવારે લગાવીને લક્ષ્મીજી ગણેશજીની પૂજા કરો.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

inauspicious signs vastu shastra Money plant
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ