બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાની હયાત હોટલમાં બ્રાહ્મણ ગ્રાહકને માંસાહારી ભોજન પીરસાયું, મચ્યો મોટો હોબાળો
Last Updated: 01:29 PM, 11 August 2025
વડોદરા શહેરની જાણીતી હોટલમાં દિલ્લીથી આવેલા એક બ્રાહ્મણ પરિવારમાં ધર્મને લઈને ગંભીર દુઃખદ ઘટના બની છે. પરિવારના જણાવ્યા મુજબ હોટલમાં ઓર્ડર આપતી વખતે તેમણે સ્પષ્ટપણે શાકાહારી ભોજનની માંગણી કરી હતી. તેમ છતાં, સ્ટાફે તેમને ભૂલથી માંસાહારી ભોજન પીરસ્યું.
ADVERTISEMENT
ઘટના અંગે પીડિત ગ્રાહકે જણાવ્યું કે તેઓ જમવાનું શરૂ કર્યું હતું. ત્યારે અચાનક શંકા જતા ભોજન તપાસાવ્યું અને ત્યારબાદ જાણ થયું કે તે નોનવેજ ખોરાક છે. આ ઘટનાથી ગ્રાહકના ધર્મભાવનાઓને ભારે ઠેસ પહોંચી હતી. તેમના કહેવા મુજબ કુકે પોતાની ભૂલ હોવાનું માન્યું છે.
ADVERTISEMENT
ઘટનાથી ભાવનાત્મક રીતે ઘવાયેલા બ્રાહ્મણ પિતા અને દીકરો હોટલના વ્યવહારથી વધુ દુઃખી બન્યા. પીડિત પરિવારના આક્ષેપ મુજબ હોટલ સંચાલકે વાતને ગંભીરતાથી નહીં લેતાં ઉદ્ધતાઈથી વર્તન કર્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કચ્છના દરિયા કિનારે એવી વસ્તુ તણાઈને આવી કે કોસ્ટગાર્ડ-પોલીસ દોડતી થઈ, ભારે કૌતુક સર્જાયું
આ ઘટનાને લઇ પીડિત પરિવાર દ્વારા ગોત્રી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવી છે. પોલીસ દ્વારા ફરિયાદનો અભ્યાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે તેવી સંભાવના છે. શહેરના શાકાહારી અને ધર્મનિષ્ઠ વતનીઓમાં પણ આ ઘટના અંગે અસંતોષનો માહોલ જોવા મળ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.