બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / રાજ્યના આ શહેરમાં નોંધાયા ચાંદીપુરા વાયરસના વધુ 2 શંકાસ્પદ કેસ, તંત્ર એલર્ટ
Last Updated: 11:51 AM, 13 August 2026
ગુજરાતમાં અગાઉ ચાંદીપુરા વાયરસના કેસો સામે આવ્યા બાદ ફરી એકવાર આ વાયરસને લઈને ચિંતા વધી છે. હવે વડોદરાની સયાજી હોસ્પિટલમાં વધુ બે શંકાસ્પદ દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયો છે. મહીસાગરના 2 વર્ષના બાળક અને દાહોદના 16 વર્ષના કિશોર સહિત કુલ 6 શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ છે. ત્રણ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે ત્રણના લેબોરેટરી રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે.
ADVERTISEMENT

આ નવા કેસો બાદ સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દીઓની કુલ સંખ્યા વધીને 6 પર પહોંચી છે. સતત નવા શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને દર્દીઓની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT
હાલ સારવાર હેઠળના કુલ 6 દર્દીઓમાંથી 3 દર્દીઓના લેબોરેટરી રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે બાકીના 3 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે અંતિમ રિપોર્ટ આવ્યા બાદ જ દર્દીઓમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થશે.
ADVERTISEMENT
ચાંદીપુરા વાયરસ (CHPV) એક દુર્લભ પરંતુ ગંભીર વાયરસ છે, જે મુખ્યત્વે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વધુ અસર કરે છે. આ વાયરસ મગજમાં સોજો (Acute Encephalitis Syndrome - AES) પેદા કરી શકે છે અને સમયસર સારવાર ન મળે તો ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
2026ના ચોમાસા દરમિયાન ગુજરાતમાં અત્યાર સુધી 217 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 39 કેસ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 23 બાળકોના મોત નોંધાયા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
ADVERTISEMENT
ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય (Sand Fly) નામના જીવાતના કરડવાથી ફેલાય છે. ચોમાસા દરમિયાન ભેજ, ગંદકી, કાચા મકાનો અને પશુઓની આસપાસ આવા જીવાતો વધુ જોવા મળતા હોવાથી સંક્રમણનું જોખમ વધી જાય છે. અત્યાર સુધી વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાતો હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી.
ડોક્ટરની સલાહ અનુસાર ચાંદીપુરા વાયરસથી બચવા માટે આ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. બાળકોને સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવો સાથે ઘરની આસપાસ સ્વચ્છતા જાળવો. સેન્ડ ફ્લાય અને અન્ય જીવાતોથી બચવા માટે મચ્છરદાની અથવા જાળીનો ઉપયોગ કરો. પશુઓના વાડા અને ગંદકીવાળા વિસ્તારોમાં જીવાત નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરાવો. બાળકને અચાનક તાવ, ઉલટી, આંચકી અથવા બેભાન થવાના લક્ષણો દેખાય તો તરત નજીકની હોસ્પિટલમાં લઈ જવું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.