બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું
ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું
PM મોદીએ કર્યું મતદાન
ભાવનગરમાં 2 EVM ખોટવાયા
પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત
આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન
આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના
VTV / ગુજરાત / વડોદરા / Vadodara boat accident: What happened that made the crime branch team run out of Gujarat?
Priyakant
Last Updated: 10:15 PM, 20 January 2024
Vadodara Harani Lake Boat Tragedy : વડોદરા હરણી બોટ દુર્ઘટનાના આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયાનું સામે આવ્યું છે. આ તરફ હવે આ ફરાર ઇસમોએ રાજ્યબહાર આશરો લીધાની ચર્ચા છે. જેને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો અન્ય રાજ્યોમાં જવા રવાના થઈ છે. આ સાથે તો જરૂર પડશે તો હવે અન્ય રાજ્યોની પોલીસની પણ મદદ લેવામાં આવશે. મહત્વનું છે કે, ગઈકાલે જ વડોદરામાં હરણી તળાવની દુર્ઘટના મામલે પોલીસે કમિશ્રનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ પોલીસની ભીંસ વધતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કંપનીના કેટલાક ભાગીદારો ગુજરાત બહાર ભાગ્યા હોવાની ચર્ચા છે. જેને લઈ હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમોને ગુજરાત બહાર રવાના કરાઈ છે. આ ઇમસો ધરપકડથી બચવા અન્ય રાજ્યોમાં આશરો લેવા ભાગ્યા હોવાથી હવે અન્ય રાજ્યોની પોલીસની પણ મદદ લેવાશે.
નોંધનિય છે કે, હરણી દુર્ઘટના કેસમાં તમામ લોકો વિરૂદ્ધ આઈપીસી કલમ 304, 308, 114 તેમજ 337 તેમજ 338 જે ખૂબ જ ગંભીર ગુનાની કલમો છે. જે એમના ઉપર દાખલ કરવામાં આવેલ છે. ગત રોજ લેક ઝોનનાં મેનેજર, બોટ ચલાવનાર તેમજ બોટ સેફ્ટી માટે જે હોય છે તે તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કંપનીન 15 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે સમગ્ર તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. જેમાં એડીશનલ સીપી મનોજ નિનામા, બે ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ તેમજ લોકલ પીઆઈ સાથે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ