બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / uttarakhand cm tirath singh rawat resigned now mamata banerjee in constitutional crisis
ADVERTISEMENT
ઉત્તરાખંડમાં તીરથ સિંહ રાવતને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. બંધારણીય સંકટના કારણે તેમણે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું છે. હકીકતે તીરથ સિંહ રાવત વિધાનસભાના સદસ્ય ન હતી અને હાલના સમયમાં પેટાચૂંટણી કરવી મુશ્કેલ છે. એવામાં તેમણે રાજીનામું સોંપી દીધું છે. આ વચ્ચે તીરથ સિંહ રાવત બાદ હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ મુશ્કેલી આવી શકે છે.
ADVERTISEMENT
મમતાને સીટ તો ખીલ કરાવી લીધી પણ હવે ચૂંટણી ક્યારે?
મમતા બેનર્જીએ 4 મેના રોજ મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. એવામાં તેમણે શપથ લીધાના દિવસથી છ મહિનાની અંદર એટલે કે 4 નવેમ્બર સુધી વિધાનસભાના સદસ્ય બનવું જરૂરી છે અને આ બંધારણીય કાયદો છે. તેમણે પોતાના માટે એક સીટ ખાલી પણ કરી લીધી છે પરંતુ તે વિધાનસભાના સદસ્ય ત્યારે જ બની શકશે જ્યારે છ મહિનાના સમય ગાળાની અંદર ચૂંટણી જીતી શકે. કોરોનાના કારણે ચૂંટણીપંચે દરેક ચૂંટણીઓ સ્થગિત કરી દીધી છે. ચૂંટણી પ્રક્રિયા ક્યારથી શરૂ થશે. તેના વિશે હજુ કંઈ કહી ન શકાય. એવામાં જો નવેમ્બર સુધી ભવાનીપુર પેટાચૂંટણી વિશે ચૂંટણી આયોગ નિર્ણય નહીં લે તો મમતાની ગાદી પર ખતરો છે.
ADVERTISEMENT
મમતાનો વિધાન પરિષદ વાળો દાવ ફેલ
બંગાળમાં જ્યારે ચૂંટણીપંચ ચૂંટણી કરી રહ્યું હતું ત્યારે ઘણા રાજનૈતિક પક્ષોએ ચૂંટણીપંચ પર લોકોના જીવ સાથે રમત કરવાનો આરોપ લગાવ્યો હતો. એવામાં અત્યાર સુધી એ સુનિશ્ચત નથી કે ચૂંટણી કરવાથી કોઈના જીવને ખતરો નથી. માટે ચૂંટણી કરવામાં આવે તેવું નથી દેખાઈ રહ્યું. મમતાએ સ્થિતિને સમજતા વિધાન પરિષદ વાળો રસ્તો કાઠવાનો પ્રયત્ન કર્યો. તેમણે વિધાનસભા દ્વારા પ્રસ્તાવ પાસ કરાવ્યો કે રાજ્યમાં વિધાન પરિષદનું ગઠન થાય પરંતુ લગર લોકસભાની મંજૂરીએ આ સંભવ નથી. કેન્દ્ર સરકારની સાથે તેમના સંબંધો જગ જાહેર છે. એવામાં વિધાન પરિષદ વાળો રસ્તો શક્ય નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.