બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે ગણતરીના જ કલાકોમાં થઇ જશે આ કામ, પોસ્ટ ઓફિસ શરૂ કરશે આ સુવિધા
Last Updated: 02:48 PM, 17 October 2025
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરમાં એક મોટી જાહેરાત કરી છે, જે ભારતીય પોસ્ટ વિભાગ માટે નવા યુગની શરૂઆત છે. આ જાહેરાત અનુસાર, પોસ્ટ ઓફિસ નવી ફાસ્ટ ડિલિવરી સર્વિસીસ લોન્ચ કરી રહ્યું છે, જેમાં મેલ અને પાર્સલની ડિલિવરી 24 કલાક અને 48 કલાકની અંદર ગેરંટી આપવામાં આવશે. આ સર્વિસીસની શરૂઆત જાન્યુઆરી 2026થી થશે. આનાથી લોકોને તેમના જરૂરી દસ્તાવેજો કે પાર્સલ માટે દિવસોનું રાહ જોવી નહી પડે.
ADVERTISEMENT
The past year has been an extraordinary journey for the @DoT_India, @IndiaPostOffice and @MDONER_India, defined by transformative reforms, inclusive growth, and innovative strides in service to every citizen of Bharat.
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) October 17, 2025
Guided by the visionary leadership of Hon’ble PM Shri… pic.twitter.com/E6SG2NC5pb
મંત્રી સિંધિયાએ કહ્યું કે, "આ નવા પ્રોડક્ટ્સ લોન્ચ કરીશું, જેમાં પાર્સલની ગેરંટીડ ડિલિવરી હશે. 24 કલાકની સ્પીડ પોસ્ટ સર્વિસથી કોઈપણ ડાક આઇટમ એક દિવસમાં તમારા ઘર સુધી પહોંચશે. તેવી જ રીતે 48 કલાકની સ્પીડ પોસ્ટથી બે દિવસમાં પાર્સલ ડિલિવર થશે." આ સર્વિસીસથી લોકો તેમની જરૂરિયાત મુજબ ઝડપી કે થોડી ધીમી ડિલિવરી પસંદ કરી શકશે.
ADVERTISEMENT

પાર્સલ ડિલિવરીની ઝડપ વધશે
ADVERTISEMENT
સિંધિયાએ વધુમાં જણાવ્યું કે પાર્સલ ડિલિવરીની ગતિ પણ નોંધપાત્ર રીતે સુધરશે. હાલમાં પાર્સલ ડિલિવરીમાં 3થી 5 દિવસ લાગે છે, પરંતુ આ નવી સુવિધાથી પોસ્ટ ઓફિસ આગામી દિવસે જ પાર્સલ પહોંચાડશે. આ વ્યવસાયિકો અને વેપારીઓ માટે ખાસ ફાયદાકારક છે, જેઓ ઝડપી ડિલિવરીની જરૂરિયાત ધરાવે છે. મંત્રીએ કહ્યું કે, "આ સર્વિસીસથી ગ્રાહકોને વધુ વિશ્વાસપાત્ર અને ઝડપી સુવિધા મળશે, જે ભારતીય પોસ્ટને આધુનિક લોજિસ્ટિક્સ કંપનીમાં બદલી દેશે." આ પગલું ડિજિટલ ઈકોમર્સના યુગમાં પોસ્ટ ઓફિસને વધુ સ્પર્ધાત્મક બનાવશે.

ADVERTISEMENT
2029 સુધીમાં નફાકારક વિભાગ બનશે
પોસ્ટ ઓફિસનો મુખ્ય ઉદ્દેશ 2029 સુધીમાં ભારતીય પોસ્ટ વિભાગને નફાકારક વિભાગમાં બદલવાનો છે, જે માત્ર સેવા આપે તે જ નહીં, પરંતુ આર્થિક રીતે પણ મજબૂત બને. આ માટે વિભાગ નવા-નવા પ્રોડક્ટ્સ અને સર્વિસીસ લોન્ચ કરી રહ્યું છે. સિંધિયાએ જણાવ્યું કે પોસ્ટલ વિભાગ કુલ 8 નવા પ્રોડક્ટ્સ લોન્ચ કરશે, જેમાં આ ઝડપી ડિલિવરી સર્વિસીસનો સમાવેશ થાય છે. આ યોજનાઓથી ગ્રાહકોને વધુ સારી અને ઝડપી સુવિધાઓ મળશે, અને વિભાગની આવકમાં વધારો થશે. મંત્રીએ કહ્યું કે, "આ પગલાંથી પોસ્ટ ઓફિસને લીડિંગ લોજિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશનમાં બદલીશું, જે MSMEથી લઈને મોટા ઈ-કોમર્સ પ્લેયર્સ સુધી સેવા આપશે." આ ઉપરાંત, પોસ્ટ ઓફિસને ટેક્નોલોજી અને પ્રોસેસ રી-એન્જિનિયરિંગ દ્વારા મજબૂત કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: માત્ર 11 રૂપિયામાં 2000 GB સ્ટોરેજ! જુઓ Googleની ધમાકેદાર દિવાળી ઓફર્સ
આ જાહેરાતથી ભારતીય પોસ્ટ વિભાગને નવી દિશા મળશે. હાલમાં પોસ્ટ ઓફિસ 1.55 લાખથી વધુ બ્રાન્ચીસ સાથે દેશના સૌથી મોટા નેટવર્કમાંથી એક છે, જે ગ્રામીણ અને દૂરના વિસ્તારો સુધી પહોંચે છે. આ નવી સર્વિસીસથી ઈ-કોમર્સના વિસ્તાર સાથે પોસ્ટ ઓફિસની માંગ વધશે. વ્યવસાયિકો માટે આ ઝડપી ડિલિવરી ખર્ચ-અસરકારક અને વિશ્વાસપાત્ર વિકલ્પ બનશે. સરકારના આ વિઝનથી 'વિકસિત ભારત'ના લક્ષ્ય હાંસલ થશે, જેમાં પોસ્ટ વિભાગની આવક 50-60% વધારવાનો લક્ષ્ય છે. આ સર્વિસીસથી ગ્રાહકોને વધુ વિકલ્પો મળશે અને વિભાગની કાર્યક્ષમતા વધશે. જાન્યુઆરીથી આ યુગમાં પગલું ભારતીય પોસ્ટને આધુનિક બનાવશે, જે દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.