બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હોસ્પિટલમાં 5 લાખની મફત સારવાર, 24 કલાકમાં જ આ રીતે બનાવો આયુષ્માન કાર્ડ
Last Updated: 10:40 PM, 25 August 2025
ભારત સરકારની મહત્વકાંક્ષી "આયુષ્માન ભારત મુખ્યમંત્રી જન આરોગ્ય યોજના" (PM-JAY) દેશમાં આરોગ્ય સેવાઓમાં ક્રાંતિ લાવી રહી છે. કરોડો નાગરિકોને પ્રત્યક્ષ લાભ આપી રહેલી આ યોજના દ્વારા દર્દીઓને દર વર્ષે રૂ. 5 લાખ સુધીની મફત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજનાનું મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા વર્ગને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુલભ બનાવવાનો છે, જેથી કોઈ પણ વ્યક્તિ પૈસાની અછતને કારણે યોગ્ય સારવારથી વંચિત ન રહે.
ADVERTISEMENT

આ યોજના હેઠળ લાભાર્થીઓને દેશભરની સૂચિબદ્ધ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કેશલેસ સારવાર મળે છે. અત્યાર સુધીમાં આ યોજનાએ લગભગ 12 કરોડથી વધુ પરિવારોને આવરી લીધા છે, જે લગભગ ભારતમાં વસવાટ કરતી 40% વસ્તી છે. વિશેષ કરીને, હાર્ટ સજરી, કેન્સર, ન્યૂરો, કિડની, ઓર્થોપેડિક જેવી ગંભીર બીમારીઓ માટે સુવિધાઓનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT

હાલની નવી અપડેટ્સ અનુસાર હવે ઘણા રાજ્યોમાં, જેમ કે બિહાર અને અન્ય કેટલાંક રાજ્યોમાં, SECC-2011 ડેટા સિવાય પણ રાશન કાર્ડ આધારિત આવશ્યકતા માન્ય કરવામાં આવી છે. એટલે કે હવે જો તમારું નામ રાશન કાર્ડમાં નોંધાયેલું છે, તો તમે સરળતાથી અને ઝડપથી આયુષ્માન કાર્ડ મેળવી શકો છો એ પણ માત્ર 24 કલાકની અંદર. આ ફેરફાર ખાસ કરીને ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં રહેતા નાગરિકોને વધુ સરળતા આપે છે, જ્યાં ડિજિટલ લિટરેસી અને ઈન્ટરનેટની સુવિધાઓ સીમિત હોય છે. હવે લોકો તાલુકા કક્ષાએ આવેલા કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને પણ આ કાર્ડ માટે અરજી કરી શકે છે.
ADVERTISEMENT
વધુમાં વાંચો: શેર નહીં નોટ છાપવાનું મશીન! 38 રૂપિયાના સ્ટોકે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ
ઓનલાઇન પ્રક્રિયા કેવી રીતે કરવી?
ADVERTISEMENT
જો તમે ઓનલાઇન રીતે આયુષ્માન કાર્ડ માટે અરજી કરવા માંગો છો, તો નીચેના સરળ પગલાં અનુસરો:
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.