બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / uk-home-minister-has-approved-the-extradition-of-nirav-modi-cbi-official

નિર્ણય / ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ, બ્રિટેનની ગૃહમંત્રીએ આપી મંજૂરી

Nirav

Last Updated: 06:40 PM, 16 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાગેડુ હીરા કારાબોરી નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. બ્રિટેનના ગૃહ પ્રધાને ભારતના પ્રત્યાર્પણની માંગણીને સ્વીકારી છે અને મંજૂરીની મહોર મારી છે.

  • પંજાબ નેશનલ બેન્ક લોન કૌભાંડનો મુખ્ય આરોપી છે નીરવ મોદી 
  • PNB ફ્રોડ કેસમાં ખોટા ગેરેન્ટી પેપર પર 14 હજાર કરોડથી વધુનું આચર્યું છે કૌભાંડ 
  • હાલમાં બ્રિટેન ભાગી ગયા બાદ તે લંડનની જેલમાં છે જો કે મુંબઇની આર્થર રોડ જેલમાં રખાશે

પંજાબ નેશનલ બેન્કના લોન કૌભાંડના મુખ્ય આરોપી સમાન નીરવ મોદીને હવે ભારત લઈ આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. બ્રિટેનની અદાલત પછી હવે ત્યાંની બોરિસ જ્હોન્સન સરકારમાં ગૃહમંત્રીનો હાવલો સંભાળતી ભારતીય મૂળની બ્રિટિશ મહિલા પ્રીતિ પટેલે આ મામલે પોતાની મંજૂરી પણ આપી દીધી છે. CBI ના એક અધિકારીએ કહ્યું કે શુક્રવારે બ્રિટનની ગૃહમંત્રી પ્રીતિ પટેલે નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ કરવાના નિર્ણયની પુષ્ટિ કરી છે. અગાઉ લંડનની એક અદાલતે આ કેસની સુનાવણી દરમિયાન નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણ માટે સંમતિ આપી હતી અને કહ્યું હતું કે ભારતની જેલમાં તેમની સંભાળ લેવામાં આવશે એમ કહીને તેની પ્રત્યર્પણને પડકારનારી તમામ અરજીઓને નકારી કાઢી હતી.

14 હજાર કરોડની છેતરપિંડીનો છે આરોપ 

નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેંકના અધિકારીઓની સાથે મળીને રૂ. 14,000 કરોડથી વધુની લોનની છેતરપિંડીનો આરોપ છે. આ છેતરપિંડી ગેરંટીપેપર દ્વારા આચરવામાં આવી હતી. ભારતમાં બેંક કૌભાંડ અને મની લોન્ડરિંગના બે મોટા કેસ CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધાયા છે. આ સિવાય તેની વિરુધ્ધ અન્ય કેટલાક કેસો પણ ભારતમાં નોંધાયેલા છે. CBI અને EDની વિનંતીથી ઓગસ્ટ 2018 માં બ્રિટનને તેમના પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી હતી.

આ કૌભાંડ બાદ ભારત ભાગી ગયેલા નીરવ મોદી હાલમાં લંડનની વર્ડસવર્થ જેલમાં બંધ છે. પોતાના પ્રત્યાર્પણ ટાળવા માટે નીરવ મોદીએ કોર્ટમાં કહ્યું હતું કે તે માનસિક રીતે બીમાર છે. તેમણે ભારતની જેલમાં સુવિધા ન હોવાનો દાવો પણ કર્યો હતો. જોકે, કોર્ટે નીરવ મોદીની આ દલીલોને નકારી કાઢી હતી.

હીરા કારોબારીનું નવું સરનામું બનશે આર્થર રોડ જેલ

ભારત લાવ્યા પછી, નીરવ મોદી કઈ જેલમાં રહેશે અને કઈ બેરેકમાં રહેશે, તે તેના આગમન પહેલા જ નક્કી થઈ ગયું છે. મુંબઈની આર્થર રોડ જેલમાં નીરવ મોદીને તેનું નવું સરનામું મળશે. અહીંની જેલમાં સળિયા પાછળ તેને બંધ રાખવા માટે એક વિશેષ સેલ તૈયાર છે. તેને બેરેક નંબર 12 માં ત્રણ સેલમાંથી એકમાં મૂકવામાં આવશે. મહત્વનું છે કે ફેડરલ જેલની આ 12 નંબરની બેરેક ખૂબ ઊંચી સુરક્ષા ધરાવતી બેરેક છે.

સંકળાયેલા મુદ્દાઓ

PNB Fraud Case PNB Scam PNB કૌભાંડ banking fraud case nirav modi નીરવ મોદી Decision
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ