બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ujjain murari bapu worshiped mahakal temple with lungi and white cloth created ruckus
Kishor
Last Updated: 07:04 PM, 8 August 2023
મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે એક દિવસીય રામકથાના અવસર પર કથાકાર મોરારી બાપુ ઉજ્જૈન ગયા હતા. આ દરમિયાન તેમણે બાબા મહાકાલના ગર્ભગૃહમાં જઇને ભગવાન મહાકાલનો જળાભિષેક અને પૂજન પણ કર્યું હતું. જેને લઈને હવે વિવાદ શરૂ થયો છે. ગર્ભ ગૃહમાં મોરારી બાપુ જે પહેરવેશ પહેરીને ગયા હતા તેને લઈને પૂજારી મહાસંઘ દ્વારા વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે. અખિલ ભારતીય પૂજારી મહાસંગ દ્વારા કહેવામાં આવ્યું છે કે મોરારી બાપુ એ માથા પર સફેદ કપડું બાંધ્યું હતું અને સફેદ ધોતી પહેરી હતી. જે મંદિર પ્રવેશની મર્યાદાની બહાર છે.
સરસ્વતી શિશુ મંદિરમાં રામ કથાનું આયોજન
નોંધનીય છે કે મુરારી બાપુના વ્યાસાસને 5 ઓગસ્ટે ઉજ્જૈનમાં મહાકાલ લોક નજીક આવેલા સરસ્વતી શિશુ મંદિરમાં રામ કથાનું આયોજન કરવામા આવ્યું હતું. જેના ભાગરૂપે મુરારી બાપુ ત્યાં પહોંચ્યા હતા. જ્યા તેઓના હજારો અનુયાયીઓની પણ હાજરી હતી. બાદમાં બાપુ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ પહોંચ્યા હતા.
પ્રમુખ મહેશ પૂજારીએ જણાવ્યું કે...
વિવાદને લઈને અખિલ ભારતીય પૂજારી ફેડરેશનના પ્રમુખ મહેશ પૂજારીએ જણાવ્યું કે મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવા માટે અલગ વ્યવસ્થા છે. જેનું પાલન કરવું જરૂરી છે. જે રીતે મસ્જિદોમાં ટોપીનો નિયમ હોય છે, ગુરુદ્વારામાં માથા પર પાઘડીનો નિયમ હોય છે, તો મહાકાલ સમક્ષ ક્યારેય પણ માથા પર પાઘડી બાંધી ને જવામાં આવતું નથી. ભક્તો માત્ર ધોતી પહેરીને જ પ્રવેશ કરી શકે છે. પરંતુ બાપુએ ધોતી અને માથા પર કફન બાંધી રાખ્યું હતુ.
બીજી બાજુ મુરારી બાપુએ આ મામલે કહ્યું હતું કે 12 જ્યોતિર્લિંગ યાત્રા દરમિયાન તિરુપતિ બાલાજીના દર્શન થયા હતા. ત્યાંની પરંપરા મુજબ મેં મંદિરમાં મુંડન કરાવ્યું હતું અને પછી ગુજરાતી પાઘડી પહેરી હતી. મારા દાદા, પિતા અને આગળની પેઢીઓએ આ ગુજરાતી વિશિષ્ટ પાઘડી પહેરી છે. તે સૌરાષ્ટ્રના પરંપરાગત પહેરવેશ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime