બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જૂનાગઢમાં મેંદરડા ગામ નજીક બનેલી દુર્ઘટનામાં બે યુવાનોનાં કરુણ મોત
Last Updated: 07:55 AM, 25 November 2025
જૂનાગઢ જિલ્લામાં મેંદરડા નજીક અમરાપુર–ચાંદ્રાવાડી માર્ગ પર રવિવારે મોડીરાત્રી એક દુર્ઘટના બની હતી. કારનું સ્ટેરીંગ કાબૂમાંથી થતાં વાહન સીધું નદીમાં ખાબક્યું હતું. આ ભયાનક અકસ્માતમાં બે યુવાનોના મોત થયા છે જ્યારે ત્રણે યુવકોને ઈજા પહોંચી છે.
ADVERTISEMENT

લગ્ર પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે દુર્ઘટના સર્જાઈ
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, મેંદરડા પાસેના ગઢાડી ગામે મિત્રો પોતાના સાથીના લગ્ન પ્રસંગે હાજર રહેવા ગયા હતા. લગ્ન પ્રસંગ પૂરો થયા બાદ પરત ફરી રહ્યા હતા ત્યારે અમરાપુર–ચાંદ્રાવાડી વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ હતી.

ADVERTISEMENT
બે યુવકોના ઘટના સ્થળે કરૂણ મોત થયા
દુર્ઘટનામાં મહિપાલ કુબાવત અને કિશન કામાણી નામના બે યુવાનોનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. બાકી રહેલા ત્રણ ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક, કોમનવેલ્થ ગેમથી લઈ ખાતરની અછત સહિતના મુદ્દાઓ ચર્ચાશે
પોલીસ દ્વારા તપાસ હાથ ધરી
ADVERTISEMENT
ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને પ્રાથમિક તબક્કે કારનું સ્ટેરીંગ કાબૂ બહાર જવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવી રહ્યું છે. પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.