બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગોમતી ઘાટ પર શ્રદ્ધાળુઓના આ બે કામ માટે મૂકાયો પ્રતિબંધ, વૃદ્ધ દરિયામાં તણાયા બાદ તંત્ર એક્શનમાં
Last Updated: 06:12 PM, 16 June 2026
દ્વારકાના પ્રસિદ્ધ ગોમતી ઘાટ પર પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા ગોમતી ઘાટ પર પ્રવાસીઓની અવર-જવર તેમજ સ્નાન કરવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ADVERTISEMENT
વૃદ્ધ વ્યક્તિ દરિયામાં તણાઈ જવાનો વીડિયો વાયરલ થયો હતો
ગત રોજ એક વૃદ્ધ વ્યક્તિ દરિયામાં તણાઈ જવાના ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈને સ્થાનિક તંત્ર, પોલીસ અને ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. દરિયામાં હાલ ઊંચા મોજાં ઉછળી રહ્યા હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ADVERTISEMENT
ગોમતી ઘાટ અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને દરિયાકિનારાથી સુરક્ષિત અંતર જાળવવાની અપીલ કરી છે.
આ પણ વાંચોઃ રાજ્યભરમાં ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરનું ચેકિંગ, 2.12 લાખ કિલો/લીટર વધુ ખાદ્યપદાર્થ પકડાયો
ADVERTISEMENT
ગોમતી ઘાટ પર પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે પ્રતિબંધ યથાવત રહેશે
તંત્રના જણાવ્યા અનુસાર દરિયાની પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ગોમતી ઘાટ પર પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે પ્રતિબંધ યથાવત રહેશે. લોકોને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને સુરક્ષાને પ્રાથમિકતા આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.