કમિશન વધારવાના પ્રશ્ન છેલ્લા એક વર્ષથી યથાવત રહેતા ડિલરો દ્વારા આંદોલન કરાશે
રાજ્યભરમાં આજે CNGનું વેચાણ 2 કલાક બંધ રહેશે
ડીલર માર્જિન વધારવાની માંગ સાથે આંદોલન
સૌરાષ્ટ્રના પેટ્રોલપંપ ચાલકો પણ જોડાશે વિરોધમાં
રાજ્યભરમાં આજે CNGનું વેચાણ 2 કલાક બંધ રહેશે
ઉલ્લેખનીય છે કે, CNGના કમિશનમાં વધારો કરવાની ખાતરી આપ્યા બાદ કંપનીઓ દ્વારા વધારો નહીં કરતા આજે અમદાવાદ સહિત ગુજરાતભરમાં CNG ડીલરો દ્વારા બપોરે 1થી 3 કલાક સુધી સીએનજીનું વેચાણ બંધ રાખી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
એક વર્ષથી વધુ સમય વિતવા છતા પ્રશ્નોનું નથી થયું સમાધાન
આ અંગે સુત્રોના જણાવ્યા અનુસાર, CNGનું ડિલર માર્જીન ગત તા.1/6/2019ના રોજ વધારવાનું નકકી કરેલ જેને આજે 30 મહિના થઈ ગયા છતાં ડિલર માર્જિનમાં કોઈ વધારો થયો નથી. આ બાબતે અમે ઓઈલ કંપનીને અનેક વખત રજૂઆત કરેલી છે. પરંતુ રજૂઆતને ધ્યાનમાં લીધી નથી. જેને લઈને ડિલરોએ ના છૂટકે અભિયાન છેડવાનું નકકી કરવામાં આવ્યું છે.આ અભિયાનમાં સૌરાષ્ટ્રના પેટ્રોલપંપ સંચાલકો પણ જોડાશે.