બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / રસોડામાં થતી આ નાની ભૂલો બની શકે છે આર્થિક તંગીનું કારણ, જાણો વાસ્તુના નિયમો

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / રસોડામાં થતી આ નાની ભૂલો બની શકે છે આર્થિક તંગીનું કારણ, જાણો વાસ્તુના નિયમો

Last Updated: 01:02 PM, 1 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમે જાણો છો કે રસોડામાં થતી કેટલીક સામાન્ય ભૂલો ઘરની આર્થિક સ્થિતિ પર અસર કરી શકે છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડું માત્ર ભોજન બનાવવાની જગ્યા નહીં પરંતુ સુખ-સમૃદ્ધિ અને ધનનું કેન્દ્ર પણ માનવામાં આવે છે.

1/6

photoStories-logo

1. રસોડામાં થતી આ નાની ભૂલો

ઘણા લોકો ઉતાવળમાં રસોડાના સ્લેબ પર સીધું જ શાકભાજી કાપી લે છે. વાસ્તુશાસ્ત્રમાં આને યોગ્ય માનવામાં આવતું નથી. માન્યતા મુજબ આવી આદત ઘરમાં નકારાત્મક ઊર્જા વધારી શકે છે અને ધનની આવકમાં અવરોધ ઊભો કરી શકે છે. રસોડા સાથે જોડાયેલા કેટલાક સરળ નિયમો અપનાવવાથી ઘરમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ વધારવામાં મદદ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સ્લેબ પર સીધા શાકભાજી ન કાપો

વાસ્તુશાસ્ત્ર મુજબ રસોડાનો સ્લેબ ઘરના અન્ન અને સમૃદ્ધિ સાથે જોડાયેલો માનવામાં આવે છે. તેના પર સીધો ચાકૂ ચલાવવાથી ઊર્જાના પ્રવાહમાં અવરોધ સર્જાય છે એવી માન્યતા છે. ચાકૂને વિભાજનનું પ્રતીક માનવામાં આવે છે, તેથી વારંવાર સ્લેબ પર કાપકૂટ કરવાથી ઘરમાં મતભેદ અને અનાવશ્યક ખર્ચ વધી શકે છે. આ કારણે આર્થિક સ્થિતિ પર પણ અસર પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કાળા સ્લેબનું ખાસ ધ્યાન રાખો

વાસ્તુશાસ્ત્રમાં કાળા ગ્રેનાઇટના સ્લેબને આર્થિક ઉતાર-ચઢાવ સાથે જોડવામાં આવે છે. જો તમારા રસોડામાં કાળો સ્લેબ હોય તો તેના પર લાકડાનું ચોપિંગ બોર્ડ રાખવું શુભ માનવામાં આવે છે. માન્યતા મુજબ આ ઉપાય નકારાત્મક ઊર્જાને ઘટાડે છે અને ઘરમાં સકારાત્મકતા વધારવામાં મદદ કરે છે. તેનાથી ધન સંબંધિત અવરોધો પણ ઓછા થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ચાકૂ ખુલ્લુ ન રાખો

રસોડાના કાઉન્ટર પર ચાકૂ ખુલ્લુ રાખવુ વાસ્તુ પ્રમાણે યોગ્ય માનવામાં આવતું નથી. તેનો સંબંધ ઘરમાં તણાવ અને અવરોધો સાથે જોડવામાં આવે છે. ઉપયોગ પછી ચાકૂને હંમેશા ડ્રોઅર અથવા કેબિનેટમાં રાખવો જોઈએ. આ નાની આદત રસોડાને વ્યવસ્થિત રાખે છે અને ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. રસોડાની દિશા અને રસોઈ બનાવવાની રીત

વાસ્તુ મુજબ દક્ષિણ-પૂર્વ દિશા (આગ્નેય ખૂણો) રસોડા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે તે અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આ દિશામાં આવેલું રસોડું સુખ-સમૃદ્ધિ સાથે જોડાયેલું માનવામાં આવે છે. ઉપરાંત રસોઈ બનાવતી વખતે પૂર્વ દિશા તરફ મોઢું રાખવું શુભ ગણાય છે. માન્યતા મુજબ તેનાથી સકારાત્મક ઊર્જા વધે છે અને પરિવારના સ્વાસ્થ્ય તેમજ આર્થિક સુખાકારીમાં લાભ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Kitchen Vastu Vastu Shastra Tips Wealth and Prosperity
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ