બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના બ્રિજમાં ગાબડું, ટેમ્પો પલટતાં સલામતી પર સવાલ

National / દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના બ્રિજમાં ગાબડું, ટેમ્પો પલટતાં સલામતી પર સવાલ

Nidhi Panchal

Last Updated: 02:38 PM, 2 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચના અંકલેશ્વર નજીક આવેલા લુદરા ગામ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બનેલી ઘટનાએ વાહનચાલકોમાં ચિંતા વધારી છે. બ્રિજના કોન્ક્રીટમાં ગાબડું પડતાં ટેમ્પો પલટી ગયો હતો, જ્યારે બ્રિજના એક્સપાન્શન જોઈન્ટમાં પણ નુકસાન સામે આવતાં બ્રિજની સલામતી અંગે સવાલો ઊભા થયા છે

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલા લુદરા ગામ પાસે એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં ચાલતા બ્રિજના કોન્ક્રીટમાં મોટું ગાબડું પડતાં એક ટેમ્પો પલટી ગયો હતો. આ ઘટનાના કારણે થોડા સમય માટે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં પણ ભય ફેલાયો હતો.

Delhi-gabdu

ટેમ્પોનું સંતુલન બગડ્યું

પ્રાથમિક માહિતી મુજબ, બ્રિજના કોન્ક્રીટમાં ગાબડું પડવાના કારણે ટેમ્પોનું સંતુલન બગડ્યું અને તે પલટી ગયો હતો. ઘટનામાં બ્રિજના એક્સપાન્શન જોઈન્ટમાં પણ નુકસાન થયાનું સામે આવ્યું છે. એક્સપાન્શન જોઈન્ટ બ્રિજનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે, જે બ્રિજ પર આવતી ગરમી, ઠંડી અને વાહનોના દબાણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. આવા ભાગમાં નુકસાન સામે આવતાં બ્રિજની સ્થિતિ અને સલામતી અંગે અનેક સવાલો ઊભા થયા છે.

અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા

આ ઘટનાની જાણ થતાં સંબંધિત પ્રશાસનના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીઓ દ્વારા સમગ્ર સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને બ્રિજની સ્થિતિનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ આગળની જરૂરી કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો

ઘટના બાદ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બ્રિજ પર ગાબડું પડવાની ઘટના અને એક્સપાન્શન જોઈન્ટમાં નુકસાન સામે આવતાં મુસાફરો અને સ્થાનિક લોકોમાં બ્રિજની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાહનચાલકોનું કહેવું છે કે આવા મહત્વના એક્સપ્રેસવે પર બ્રિજની સ્થિતિ સંપૂર્ણપણે સુરક્ષિત હોવી જરૂરી છે જેથી મુસાફરી દરમિયાન કોઈ જોખમ ઊભું ન થાય.

આ પણ વાંતો : મહેસાણા અને અરવલ્લીમાં બે સગીરોના આપઘાતથી ચકચાર, રહસ્યમય ઘટનાએ ઉભા કર્યા અનેક સવાલો

હાલ પ્રશાસન દ્વારા સ્થળનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને બ્રિજના નુકસાનનું મૂલ્યાંકન કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘટનાને ધ્યાનમાં રાખીને સંબંધિત વિભાગો દ્વારા જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. બ્રિજના કોન્ક્રીટમાં પડેલા ગાબડાં અને એક્સપાન્શન જોઈન્ટમાં થયેલા નુકસાન અંગે તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે. હાલમાં સમગ્ર મામલે પ્રશાસનની કાર્યવાહી ચાલુ છે અને વાહનચાલકોને સાવચેતી રાખીને મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ankleshwar Delhi Mumbai Expressway Bharuch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ