બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / રામ મંદિર દાન ચોરી પર RSS નો આક્રોશ: 'આ સામાન્ય ચોરી નહીં પણ મહાપાપ છે, દોષિતોને સખત સજા કરો'
Last Updated: 04:54 PM, 3 July 2026
અયોધ્યાના ઐતિહાસિક રામ મંદિરમાં બનેલી ચઢાવાની ચોરીની ઘટના પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તરફથી મોટા સ્તરે પ્રથમ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે. સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ આ સમગ્ર વિવાદ પર સત્તાવાર રીતે સંઘનો પક્ષ રજૂ કરતા આ ઘટનાને ઘોર નિંદનીય અને 'મહાપાપ' ગણાવી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ ચકચારી મામલામાં જે કોઈ પણ વ્યક્તિ દોષિત સાબિત થાય, તેને કાયદા હેઠળ સખતમાં સખત સજા મળવી જ જોઈએ. આ સાથે જ સંઘે મંદિર પ્રશાસન અને સરકાર પાસે વ્યવસ્થાની તમામ ખામીઓને તાત્કાલિક અસરથી દૂર કરવાની માંગ કરી છે.
ADVERTISEMENT
RSS એ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર બનેલું આ ભવ્ય મંદિર સદીઓના લાંબા સંઘર્ષ અને કરોડો રામભક્તોના ત્યાગ, સમર્પણ અને બલિદાનનું પ્રતીક છે. આ સમગ્ર મંદિર પરિસર સમગ્ર હિન્દુ સમાજની અટૂટ શ્રદ્ધા અને ભક્તિનું સર્વોચ્ચ કેન્દ્ર છે. આવી પવિત્ર જગ્યાએ રામલલાના દરબારમાં રાખવામાં આવેલા દાનપાત્રોમાંથી નાણાંની ચોરી થવી એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને આઘાતજનક બાબત છે. આ ઘૃણાસ્પદ કૃત્યથી દેશ અને દુનિયાભરમાં વસતા કરોડો રામભક્તોની ભાવનાઓ અને તેમની આસ્થાને ઊંડો ધક્કો લાગ્યો છે.
ADVERTISEMENT
Statement issued by Dattatreya Hosabale, Sarkaryavah (General Secretary) of the Rashtriya Swayamsevak Sangh (RSS).
— RSS (@RSSorg) July 3, 2026
New Delhi, July 3, 2026
The grand temple constructed at the Shri Ram Janmabhoomi has become a center of reverence, faith, and devotion for the entire Hindu society,… pic.twitter.com/ppdkc8kuwU
ADVERTISEMENT
સંઘે જણાવ્યું છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની અપીલ પર ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે વિશેષ તપાસ ટીમ એટલે કે એસઆઈટી (SIT) ની રચના કરવામાં આવી છે. SIT ની ભલામણોના આધારે કાનૂની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. સંઘ અને સમગ્ર હિન્દુ સમાજની આ પુરજોર માંગ છે કે તપાસ એજન્સીઓ અને સરકાર એ બાબત સુનિશ્ચિત કરે કે આ મહાપાપમાં સામેલ દરેક ગુનેગારને કાયદાના દાયરામાં કડક સજા થાય. આ સાથે જ મંદિરમાં નાણાંની ગણતરી, તેની જાળવણી અને સમગ્ર સંચાલનને સંપૂર્ણપણે પારદર્શક (Transparent) અને સ્વચ્છ બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ભૂલ કે ક્ષતિ ફરી ન થાય.
ADVERTISEMENT
RSS ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ મંદિર મેનેજમેન્ટ અને શાસન પાસે એવી અપેક્ષા વ્યક્ત કરી છે કે તેઓ આ કેસને એક સાધારણ ચોરી ન માનીને અત્યંત ગંભીરતાથી લે. મંદિરની અંદર હાલમાં જે પણ અસમંજસ અને ભ્રમની સ્થિતિ બનેલી છે, તેને વહેલી તકે ખતમ કરવી જરૂરી છે.
ADVERTISEMENT
આ સાથે જ સંઘે દેશના સામાન્ય હિન્દુ સમાજ અને રામભક્તોને એક મોટી અપીલ કરી છે. સંઘે જણાવ્યું છે કે આ અત્યંત મુશ્કેલ અને સંવેદનશીલ સમયે તમામ રામભક્તો ધૈર્ય, સંયમ અને સતર્કતા રાખે. સમાજે જાગૃત રહેવું પડશે જેથી દેશ અને હિન્દુ ધર્મ વિરૂદ્ધ કામ કરતી રાષ્ટ્રવિરોધી શક્તિઓ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો ગેરલાભ ઉઠાવીને આપણા સમાજને બદનામ કરવાનું કોઈ પણ ષડયંત્ર સફળ ન બનાવી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.