બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:15 PM, 3 July 2026
અયોધ્યાના રામ મંદિરમાં આવેલા દાનની ચોરીનો મામલો ખુબ ચર્ચામાં છે. આ મુદ્દે દેશભરના સાધુ સંતો અને પોલીટીયન સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. એવામાં કથાકાર અને બાગેશ્વર ધામ પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું પણ આ અંગે નિવેદન આવ્યું છે. તેઓ આજે શુક્રવારે અયોધ્યા પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ પર સંતો અને ભક્તોએ તેમનું સ્વાગત કર્યું.
ADVERTISEMENT
𝐀𝐲𝐨𝐝𝐡𝐲𝐚 𝐃𝐨𝐧𝐚𝐭𝐢𝐨𝐧 𝐂𝐚𝐬𝐞 : Acharya Dhirendra Shastri says the public should trust the legal process and the SIT probe. "All culprits will face punishment," he said. pic.twitter.com/loBPiruozF
— VARTA ( वार्ता ) (@varta24news) July 3, 2026
એરપોર્ટ પર તેમને રામ મંદિરમાં દાનની ચોરી મુદ્દે નિવેદન આપ્યું છે. જેમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે "આ માત્ર પાપ નથી, પરંતુ એક મહાપાપ છે. જે કોઈ આ કૃત્યમાં દોષિત હશે તેને કાયદા હેઠળ સજા થશે. ભગવાન પણ તેમના કાર્યો માટે તેમને સજા કરશે. તેમને SIT તપાસ, દેશના કાયદો અને વ્યવસ્થા અને સરકારમાં સંપૂર્ણ વિશ્વાસ છે. તપાસ નિષ્પક્ષ રહેશે અને તમામ ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે".
ADVERTISEMENT

અહિયાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આરોપ લગાવ્યો કે દેશમાં સંતો, મહંતો, મઠો અને મંદિરો સામે એક સુનિયોજિત કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. આવા પ્રયાસોનો હેતુ લોકોની ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિને કમજોર પાડવાનો છે. આથીસમાજે સતર્ક રહેવાની જરૂર છે. ભક્તોએ કોઈપણ પ્રકારની ખોટી માહિતી કે પ્રચારનો શિકાર ન બનવું જોઈએ. સત્ય બહાર આવશે. ગુનેગારોને માત્ર કાયદા દ્વારા જ નહીં પરંતુ ભગવાન દ્વારા પણ સજાનો સામનો કરવો પડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, રામ મંદિરમાં આવેલા દાનની રકમમાં ચોરી થતા દેશમાં હડકંપ મચ્યો છે. આ કેસમાં અત્યાર સુધી 8 લોકોની ધરપકડ થઇ છે. જેમાં ચંપત રાયના નામને લઇ વિવાદ થતા તેમને ટ્રસ્ટના મહા સચિવના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ હાઈ પ્રોફાઈલ કેસમાં એક SIT તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.