બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:04 PM, 3 July 2026
ભારતની ફેમસ અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. જેમાં 2 જુલાઈ 2026 ના રોજ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ભગવતી બેઝ કેમ્પથી બાલટાલ અને પહેલગામથી લીલી ઝંડી આપી હતી. આ ગ્રુપમાં 4,822 યાત્રાળુઓ હતા જેમને 259 વાહનોના સુરક્ષા કવચ દ્વારા એસ્કોર્ટ કરાયા છે. 28 ઓગસ્ટ સુધીમાં લાખો ભક્તો શિવલિંગના દર્શન કરી શકશે. આથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરી અને ભગવાન શિવના ભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી.
ADVERTISEMENT
The journey has begun.
— Defence Squad (@Defence_Squad_) July 2, 2026
The first batch of pilgrims for Amarnath Yatra 2026 has departed from Jammu under a multi-tier security cover.
Thousands of security personnel, surveillance systems and coordinated deployments are in place to ensure a safe pilgrimage.
🇮🇳#Amarnath pic.twitter.com/tYCgPM8XCV
પીએમ મોદીએ શુક્રવારે બે પોસ્ટમાં અમરનાથ યાત્રાના પ્રારંભ પર અભિનંદન પાઠવ્યા હતા. તેમની પ્રથમ પોસ્ટમાં PM મોદીએ લખ્યું કે, " તમામ શિવભક્તોને પવિત્ર અમરનાથ યાત્રાના પ્રારંભ પર અનંત શુભકામનાઓ! બાબા બર્ફાનીના દિવ્ય દર્શન માટે આ યાત્રા તમારા બધા માટે સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સારું સ્વાસ્થ્ય લાવે. જય બાબા બર્ફાની!" ત્યાર બાદ તેમને સંસ્કૃત શ્લોક શેર કર્યો હતો.
ADVERTISEMENT
समस्त शिवभक्तों को पावन-पुनीत श्री अमरनाथ यात्रा के शुभारंभ की अनंत शुभकामनाएं! बाबा बर्फानी के दिव्य दर्शन की यह यात्रा आप सभी के जीवन में सुख-समृद्धि, सौभाग्य और उत्तम स्वास्थ्य लेकर आए।
— Narendra Modi (@narendramodi) July 3, 2026
जय बाबा बर्फानी!
वाग्बुद्धिचित्तकरणैश्च तपोभिरुग्रैः
शक्यं समाकलयितुं न यदीयरूपम्।
तं… pic.twitter.com/l3WcdLkq9z
PM મોદીએ બીજી પોસ્ટમાં લખ્યું કે બાબા બર્ફાનીના દર્શન સાથે જોડાયેલી શ્રી અમરનાથ યાત્રા આપણી આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક એકતાનો શાશ્વત અધ્યાય છે. મારી કામના છે કે શિવભક્તો માટે આ યાત્રા દરેક રીતે સલામત અને શુભ રહે. પીએમ મોદીએ શિવભક્તો માટે બે પાનાનો પત્ર પણ બહાર પાડ્યો છે, જેમાં તેમને ભક્તોને પાંચ સંકલ્પો લેવાની અપીલ કરી છે.
ADVERTISEMENT
बाबा बर्फानी के दर्शन से जुड़ी श्री अमरनाथ यात्रा हमारी आध्यात्मिक परंपरा और सांस्कृतिक एकता का शाश्वत अध्याय है। मेरी कामना है कि शिवभक्तों की यह यात्रा हर तरह से सुरक्षित और मंगलमय हो! इस पावन अवसर पर श्रद्धालुओं के लिए पांच संकल्पों से जुड़ा मेरा यह पत्र… pic.twitter.com/6Bc2Y9tXJC
— Narendra Modi (@narendramodi) July 3, 2026
ADVERTISEMENT

ADVERTISEMENT
અમરનાથ યાત્રાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રામાં ભાગ લેવો એ એક મોટુંસૌભાગ્ય છે. દર વર્ષે બાબા બર્ફાનીના સીધા દર્શન કરવાનો મોકો લાખો શિવભક્તો માટે એક ખૂબ જ શુભ અને અવિસ્મરણીય અનુભવ છે. બાબા અમરનાથની મુલાકાત લેવાની આ યાત્રા ભારતની આધ્યાત્મિક યાત્રા પરંપરાનો એક શાશ્વત અધ્યાય છે. દર વર્ષે વિશ્વભરમાંથી જેઓ સનાતન સંસ્કૃતિનું પાલન કરે છે તેઓ લાખો લોકો આ યાત્રામાં ભાગ લેવા માટે જમ્મુ અને કાશ્મીર પહોંચે છે. વિવિધ પ્રદેશોના લોકો વિવિધ ભાષાઓ બોલતા અને વિવિધ પરંપરાઓનું પાલન કરતા લોકો મહાદેવના દર્શન કરવાના સંકલ્પ સાથે આ યાત્રા પૂરી કરે છે.
ADVERTISEMENT
પ્રધાનમંત્રીએ કહ્યું કે, "મને વિશ્વાસ છે કે બાબા અમરનાથ યાત્રા સનાતન ધર્મમાં શ્રદ્ધા, ભારતની સાંસ્કૃતિક એકતા અને સેવાની પરંપરાનો ભવ્ય મહોત્સવ બનશે. મારી કામના છે કે બાબા અમરનાથના અનંત આશીર્વાદ આપણા બધા પર રહે. તમારી યાત્રા સલામત અને મંગલમય રહે અને તમારું જીવનમાં નવી ઉર્જા, નવી ચેતના અને નવી આધ્યાત્મિક શક્તિનો સંચાર થાય."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.