બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:18 PM, 4 July 2026
Badrinath Temple Donation Theft : અયોધ્યા બાદ હવે ઉત્તરાખંડના પ્રસિદ્ધ બદ્રીનાથ મંદિરમાં દાનની રકમમાં ગેરરીતિ થયાના આરોપોને લઈને ચર્ચા જોર પકડી છે. વિગતો મુજબ આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ તેને ગંભીરતાથી લઈ તપાસ માટે વિશેષ સમિતિની રચના કરી છે.
ADVERTISEMENT
આવો જાણીએ શું છે સમગ્ર મામલો ?
વિગતો મુજબ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક દાવા મુજબ ભૈરવ સેના સંગઠનના અધ્યક્ષ સંજીવ ખત્રીએ આરોપ લગાવ્યો છે કે, મંદિર સમિતિના અધ્યક્ષ સાથે સંકળાયેલા એક કર્મચારી દ્વારા મંદિરમાં આવેલા દાનમાંથી રકમની ચોરી કરવામાં આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે આ ઘટના સવારે અંદાજે 8:00થી 8:30 વાગ્યાની વચ્ચે બની હોવાનું કહેવાય છે. સાથે જ તેમણે તે સમયની CCTV ફૂટેજ જાહેર કરવાની પણ માંગ કરી છે.
ADVERTISEMENT
જાણો શું કહ્યું BKTCના મુખ્ય કાર્યકારી અધિકારીએ ?
આ મામલે BKTCના મુખ્ય કાર્યકારી અધિકારી સોહન સિંહ રાંઘડે જણાવ્યું કે, ચઢાવાની ગણતરી દરમિયાન ફરજ પર રહેલા કર્મચારીઓ તેમજ આરોપોમાં નામ સામે આવેલા કર્મચારીઓને નોટિસ પાઠવવામાં આવી રહી છે. ઉપરાંત સમગ્ર ઘટનાની સત્યતા જાણવા માટે CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવશે.
ADVERTISEMENT
अयोध्या के बाद अब बद्रीनाथ मंदिर में भी चंदा चोरी ?
— Ajit Singh Rathi (@AjitSinghRathi) July 3, 2026
काल भैरव सेना के अध्यक्ष संजीव खत्री ने आरोप लगाया है कि BKTC के अध्यक्ष के निजी सहायक बद्रीनाथ मंदिर से चंदा चोरी किया है। खत्री ने कहा कि चोरी सुबह 8.00-8.30 बजे के बीच हुई है, उस समय की CCTV फुटेज सार्वजनिक हो।
उधर BKTC के… pic.twitter.com/ltcxxWtEaz
આ તરફ તરફ BKTCના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે. બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં દાન તથા ચઢાવાની રકમના કથિત ગેરવહીવટ અંગે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓને મંદિર સમિતિએ અત્યંત ગંભીરતાથી લીધા છે. દાનની ગણતરીની પ્રક્રિયામાં સામેલ તમામ કર્મચારીઓ અને અધિકારીઓને કારણ દર્શાવો નોટિસ (શો-કૉઝ નોટિસ) આપવામાં આવી છે.
ADVERTISEMENT
#WATCH | Shri Badarinath Kedarnath Temple Committee (BKTC) Chairman Hemant Dwivedi says, "Regarding the news and allegations circulating on social media concerning the alleged misappropriation of donations and offerings at the Shri Badrinath-Kedarnath Temple Dham, I wish to state… pic.twitter.com/NEH5IgW00c
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 3, 2026
આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ માટે તાત્કાલિક અસરથી તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમિતિ પોતાનો અહેવાલ રજૂ કરશે અને તેને જાહેર પણ કરવામાં આવશે. જો તપાસ દરમિયાન કોઈ વ્યક્તિ દોષિત સાબિત થશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : તાજમહેલમાં છે શિવ મંદિર? હાઈકોર્ટમાં ગુંજ્યો મામલો, આ તારીખે થશે મોટો નિર્ણય!
હેમંત દ્વિવેદીએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા એક અન્ય દાવાનું પણ ખંડન કર્યું. તેમણે જણાવ્યું કે તેમનો કોઈ ખાનગી સચિવ નથી. જે વ્યક્તિને સોશિયલ મીડિયા પર તેમના ખાનગી સહાયક અથવા ખાનગી સચિવ તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે, તે વાસ્તવમાં મંદિર સમિતિનો નિયમિત કર્મચારી છે. કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા આ અત્યંત સંવેદનશીલ મામલામાં હવે સૌની નજર તપાસ સમિતિના અહેવાલ પર ટકેલી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.