બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / તાજમહેલમાં છે શિવ મંદિર? હાઈકોર્ટમાં ગુંજ્યો મામલો, આ તારીખે થશે મોટો નિર્ણય!

વિવાદ / તાજમહેલમાં છે શિવ મંદિર? હાઈકોર્ટમાં ગુંજ્યો મામલો, આ તારીખે થશે મોટો નિર્ણય!

Priykant Shrimali

Last Updated: 01:55 PM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Taj Mahal Controversy : તાજમહેલ કે તેજો મહાલય? સર્વેની માંગ મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી પર છે લોકોની નજર, જાણો શું છે વિવાદ ?

Taj Mahal Controversy : તાજમહેલ તો તમે બધાએ જોયો હશે પણ તાજેતરમાં તાજમહેલને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આગ્રામાં આવેલા વિશ્વવિખ્યાત તાજમહેલને લઈને ફરી એકવાર કાનૂની ચર્ચા તેજ બની છે. તાજમહેલ પરિસર મૂળ ભગવાન શ્રી અગ્રેશ્વર મહાદેવ નાગનાથેશ્વરનું ‘તેજો મહાલય’ મંદિર હોવાનું દાવો કરતી અરજી હવે અલ્હાબાદ હાઈકોર્ટ સુધી પહોંચી છે. આ અરજી પર 7 જુલાઈએ સુનાવણી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

શું છે અરજદારોની માંગ ?

અરજદારો દ્વારા હાઈકોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી છે કે સમગ્ર પરિસરનો સર્વે કરવા માટે એડવોકેટ કમિશનરની નિમણૂક કરવામાં આવે. તેમનું કહેવું છે કે, વૈજ્ઞાનિક અને કાનૂની રીતે સર્વે કરવામાં આવશે તો એ સ્પષ્ટ થઈ શકશે કે આ સ્થળે અગાઉ મંદિર હતું કે નહીં. આ અરજી આગ્રાની સિવિલ જજ (સીનિયર ડિવિઝન) અને એડિશનલ જિલ્લા જજની અદાલતના તે આદેશોને પડકારતી દાખલ કરવામાં આવી છે, જેમાં સર્વે માટે એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની માંગ ફગાવી દેવામાં આવી હતી.

અરજીમાં જણાવાયું છે કે, વર્ષ 2015થી આ મુદ્દે સિવિલ કોર્ટમાં એક દીવાની કેસ ચાલી રહ્યો છે. તેમાં તાજમહેલ પરિસરને ભગવાન શ્રી અગ્રેશ્વર મહાદેવ નાગનાથેશ્વરનું તેજો મહાલય જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજી ભગવાન શ્રી અગ્રેશ્વર મહાદેવ નાગનાથેશ્વરના વતી તેમના ‘નેક્સ્ટ ફ્રેન્ડ’ હરીશંકર જૈન અને અન્ય પાંચ અરજદારો દ્વારા સંયુક્ત રીતે દાખલ કરવામાં આવી છે. કેસમાં ભારત સરકાર, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) સહિત અન્ય બે પક્ષોને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : રામ મંદિર દાન ચોરી મામલો, શંકરાચાર્યએ તોડ્યું મૌન, મંદિર સંચાલનને લઈ ઉઠાવ્યા સવાલો

હાલ સમગ્ર મામલે સૌની નજર અલ્હાબાદ હાઈકોર્ટની આગામી સુનાવણી પર છે. જો હાઈકોર્ટ સર્વે માટે એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની માંગ સ્વીકારશે તો કેસની આગળની કાનૂની કાર્યવાહી નવા તબક્કામાં પ્રવેશી શકે છે. જોકે, મહત્વની વાત એ છે કે હાલ હાઈકોર્ટે તાજમહેલ અંગે કરવામાં આવેલા દાવાની સત્યતા અંગે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરી નથી. હાલમાં માત્ર સર્વે કરાવવાની માંગ સંબંધિત અરજી પર જ સુનાવણી થવાની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Allahabad High Court Tejo Mahalaya Taj Mahal Controversy
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ