બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / જેતપર ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવડિયાની હકાલપટ્ટી, હકાભાએ લગાવ્યા હતા ગંભીર આક્ષેપો

મોરબી / જેતપર ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવડિયાની હકાલપટ્ટી, હકાભાએ લગાવ્યા હતા ગંભીર આક્ષેપો

Priykant Shrimali

Last Updated: 03:13 PM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nilesh Ervadiya : મોરબીના જેતપર આંદોલનમાંથી નિલેશ એરવડિયાની હકાલપટ્ટી, વાયરલ ઓડિયો બાદ લેવાયો મહત્વનો નિર્ણય

Nilesh Ervadiya : મોરબીના જેતપરમાં ચાલી રહેલ ખેડૂત આંદોલન વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આંદોલન સાથે જોડાયેલા નિલેશ એરવડિયાને આંદોલનમાંથી સત્તાવાર રીતે હકાલપટ્ટી કરવામાં આવી છે. આ નિર્ણય વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપ બાદ લેવામાં આવ્યો હોવાનું આંદોલન સાથે સંકળાયેલા આગેવાનો દ્વારા જણાવાયું છે. તેમના જણાવ્યા અનુસાર, આંદોલનની વિશ્વસનીયતા અને હિતને કોઈ નુકસાન ન પહોંચે તે માટે આ પગલું ભરવું જરૂરી બન્યું હતું.

VTVની ટીમ પહોંચી ઉપવાસ છાવણી સુધી

આ તરફ સમગ્ર મામલાને લઈને VTVની ટીમ ઉપવાસ છાવણી સુધી પહોંચી હતી. ત્યાંથી મળતી માહિતી મુજબ અગાઉ અનશન પર બેઠેલા 9 લોકોમાંથી હવે નિલેશ એરવડિયાને અલગ કરવામાં આવ્યા બાદ કુલ 8 ખેડૂત આગેવાનોનું અનશન યથાવત્ ચાલુ છે. ખેડૂતોએ જણાવ્યું કે તેમની મુખ્ય માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

નોંધનિય છે કે, નિલેશ એરવડિયાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા તેજ બની હતી. હકાભા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને ત્યારબાદ વાયરલ થયેલી ઓડિયો ક્લિપને કારણે સમગ્ર મામલાએ નવું રૂપ ધારણ કર્યું હતું. આ વિવાદ બાદ આંદોલનના આગેવાનોએ બેઠક કરીને નિલેશ એરવડિયાને આંદોલનમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : હકાભાના આરોપોનો નિલેશ એરવાડિયાએ આપ્યો જવાબ, મને પણ મળી કરોડોની ઑફર, આંદોલન તોડવાના રોજ પ્રયાસ થતા

નિલેશ એરવડિયા હાલ હોસ્પિટલમાં દાખલ

આ તરફ હવે એવી પણ વાત સામે આવી છે કે, નિલેશ એરવડિયા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વાયરલ ઓડિયો અને તેમની સામે થયેલા દાવાઓ બાદ તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ વાયરલ ઓડિયો અંગે ભાજપના નેતા કાંતિ અમૃતિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, તેમણે આ સમગ્ર મામલે કોઈપણ પ્રકારનું નિવેદન આપવાનું ટાળ્યું હતું. હાલ જેતપરનું ખેડૂત આંદોલન અગાઉની જેમ જ ચાલુ છે અને ઉપવાસી છાવણીમાં હજુ પણ 8 ખેડૂત આગેવાનો અનશન પર અડગ છે. આ દરમિયાન વાયરલ ઓડિયો અને નિલેશ એરવડિયાની હકાલપટ્ટી સમગ્ર આંદોલનનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nilesh Ervadiya Jetpar Farmer Protest Hakabha Gadhvi
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ