બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પીએમ મોદીએ જાપાનના પીએમને ગણાવ્યા "નાની બહેન", ફાર્મા-સંરક્ષણ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરાર
Last Updated: 02:58 PM, 2 July 2026
National News: જાપાનના પ્રધાનમંત્રી સના તકાઇચીના ભારત પ્રવાસ દરમિયાન બંને દેશો ફાર્મા, સંરક્ષણ, ટેકનોલોજી અને રોકાણ સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત થયા. સના તકાઇચીને તેમની "નાની બહેન" ગણાવતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત-જાપાનની રણનીતિક ભાગીદારી હવે એક નવા અધ્યાયમાં પ્રવેશ કરી રહી છે.
ADVERTISEMENT
ભારત અને જાપાને તેમના સંબંધોને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભર્યું છે. જાપાનના પ્રધાનમંત્રી સના તકાઇચી ભારત મુલાકાત દરમિયાન બંને દેશોએ ફાર્મા, સંરક્ષણ, ટેકનોલોજી અને આર્થિક સહયોગ સહિત અનેક ક્ષેત્રોમાં કરારો પર હસ્તાક્ષર કર્યા. હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સના તકાઇચીની હાજરીમાં બંને દેશોએ સહકારના અનેક મેમોરેન્ડમ (MoC) પર હસ્તાક્ષર કર્યા.
Sharing my remarks during the joint press meet with PM Sanae Takaichi of Japan. @takaichi_sanae
— Narendra Modi (@narendramodi) July 2, 2026
https://t.co/vIcOdb1d8j
ADVERTISEMENT
સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સના તકાઇચીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, તેમને તેમની "નાની બહેન" ગણાવતા કહ્યું, " પ્રધાનમંત્રી તકાઇચી, મારી નાની બહેન, બંને દેશોના પ્રતિનિધિઓ અને મીડિયાના મિત્રોનું સ્વાગત કરું છું. ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન માટે તેમની પ્રથમ ભારત મુલાકાત પર આવવાનો મને આનંદ છે."
પીએમ મોદીએ કહ્યું કે સના તાકાઈચી જાપાનના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી અને એક સ્વપ્નદ્રષ્ટા નેતા છે. તેમણે એ પણ નોંધ્યું કે તેમનો નારા પ્રાંત ભારત અને જાપાનના સહિયારા બૌદ્ધ વારસાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યો છે.
ADVERTISEMENT
ભારત અને જાપાન વચ્ચે કયા મુદ્દાઓ પર સંમતિ સધાઈ?
બેઠક દરમિયાન બંને નેતાઓએ સંરક્ષણ સહયોગ, ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ, સપ્લાય ચેઇન, રોકાણ અને ઉભરતી ટેકનોલોજીમાં સહયોગ વધારવાની ચર્ચા કરી. બંને દેશોએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને નિયમો-આધારિત વ્યવસ્થાને મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ Mumbai Rain Video / મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ, પાલઘરમાં શાળાઓ બંધ, હાઈ ટાઈડની ચેતવણી
ADVERTISEMENT
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત અને જાપાન માત્ર આર્થિક ભાગીદારી જ નહીં પરંતુ વિશ્વાસ, લોકશાહી મૂલ્યો અને સહિયારા હિતોનું મજબૂત બંધન પણ ધરાવે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ભાગીદારી આગામી વર્ષોમાં બંને દેશોના વિકાસ અને સમગ્ર ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિરતા અને સમૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.